એપશહેર

ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો, જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ચોથી ટેસ્ટથી બહારઃ રિપોર્ટ્સ

I am Gujarat 12 Jan 2021, 10:16 am
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા છે હવે આ લિસ્ટમાં વધુ એક ખેલાડીનું નામ જોડાઈ ગયું છે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની બ્રિસબન ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. બુમરાહ ભારતીય ઝડપી બોલિંગ આક્રમણનો મહત્વપૂર્ણ ભાગ છે. બુમરાહને સિડની ટેસ્ટમાં ત્રીજા દિવસ દરમિયાન સ્નાયુઓ ખેંચાઈ ગયા હતા.
I am Gujarat bumrah


ખબર છે કે બુમરાહના સ્કેન રિપોર્ટમાં સ્ટ્રેન નજર આવી રહ્યો છે અને ભારતીય ટીમ મેનેજમેન્ટ તેને રમાડીને કોઈ ખતરો ઉઠાવવા ઈચ્છતું નથી. ભારતને ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ મેચોની ઘરેલુ સીરિઝ રમવાની છે તેને જોતા જ ટીમ મેનેજમેન્ટ બુમરાહની ઈજાને વધવાનો કોઈ ચાન્સ લેવા ઈચ્છતું નથી.

બીસીસીઆઈના એક સૂત્રએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું કે, જસપ્રીત બુમરાહને સિડનીમાં ફિલ્ડીંગ દરમિયાન એબડોમિનલ સ્ટ્રેન થઈ ગયો હતો. તે બ્રિસબેન ટેસ્ટમાં નહીં રહે. જોકે ઈંગ્લેન્ડ વિરુદ્ધની સીરિઝ માટે તે ઉપલબ્ધ રહી શકે છે.

ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે બે ટેસ્ટ મેચ રમેલો મોહમ્મદ સિરાજ હવે ભારતીય ઝડપી બોલિંગ આક્રમણની આગેવાની કરશે. આ સાથે જ નવદીપ સૈની પણ ટીમનો ભાગ હશે. શાર્દુલ ઠાકુર અને ટી. નટરાજનને પણ 15 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે સિડની ટેસ્ટમાં પાંચ-પાંચ ઈજાગ્રસ્ત ક્રિકેટર્સવાળી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ઘર આંગણે એવો પાઠ ભણાવ્યો હતો કે દુનિયાભરના ક્રિકેટ ફેન્સ પણ ભાવુક થઈ ગયા. કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર ઓન-એર રડી પડ્યા. એ તે પળો હતી જ્યારે હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયાના તમામ બોલર્સની નિષ્ફળ બનાવીને મેચ ભલે ડ્રો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો