એપશહેર

IND vs SL: કેએલ રાહુલની T20માંથી બાદબાકી!, શ્રીલંકા વિરુદ્ધ રોહિત શર્મા પણ થઈ શકે છે બહાર

IND vs SL: શ્રીલંકા વિરુદ્ધ આગામી ટી20 સિરીઝમાંથી કેએલ રાહુલને ભારતીય ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. રાહુલ સતત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ સિવાય કેપ્ટન રોહિત શર્મા પણ ઈજાગ્રસ્ત છે. જેથી તે રમશે કે કેમ એ હજુ કહી શકાય એમ નથી. બીસીસીઆઈએ શ્રીલંકા વિરુદ્ધ ડોમેસ્ટિક સિરીઝ માટે ચેતન શર્માની આગેવાનીવાળી સિલેક્શન કમિટીને ટીમ પસંદ કરવાની જવાદબારી સોંપી છે.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 25 Dec 2022, 3:16 pm

હાઈલાઈટ્સ:

  • કેએલ રાહુલનું ટી20 ફોર્મેટમાં પ્રદર્શન ખૂબ જ ઉતાર ચઢાવવાળું રહ્યું
  • કેએલ રાહુલની જગ્યાએ શુભમન ગિલને મળી શકે છે આ તક
  • રોહિત શર્મા હજુ સુધી ઈજામાંથી સાજો થયો નથી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat kl rahul to be dropped from t20 team
છેલ્લાં કેટલાંક સમયથી જોવામાં આવે તો કેએલ રાહુલનું ટી20 ફોર્મેટમાં પ્રદર્શન ખૂબ જ ઉતાર ચઢાવવાળું રહ્યું છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને નવા વર્ષની શરુઆતમાં શ્રીલંકા વિરુદ્ધ વનડે અને ટી20 મેચોની સિરીઝ રમવાની છે. બીસીસીઆઈ ટૂંક સમયમાં આ ડોમેસ્ટિક સિરીઝ માટે ટીમની જાહેરાત કરી શકે છે. આવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે સિલેક્શન કમિટી કેએલ રાહુલને ટી20 ટીમમાંથી બહાર કરી શકે છે. તો બીજી તરફ, ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા પણ હજુ સુધી ઈજામાંથી બહાર આવ્યો નથી. ત્યારે તે રમશે કે નહીં એને લઈને શંકા છે. રોહિત શર્મા બાંગ્લાદેશ પ્રવાસ વખતે બીજી વનડે મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.

સિલેક્શન કમિટીને સોંપાઈ જવાબદારી
બીસીસીઆઈએ શ્રીલંકા વિરુદ્ધ ડોમેસ્ટિક સિરીઝ માટે ચેતન શર્માની આગેવાનીવાળી સિલેક્શન કમિટીને ટીમ પસંદ કરવાની જવાદબારી સોંપી છે. આ એ જ સિલેક્શન કમિટી છે કે જને બીસીસીઆઈએ ગયા મહિને રદ્દ કરી નાખી હતી. ત્યારે આવામાં ચેતન શર્માનું સિલેક્શન કમિટી તરીકે બીસીસીઆઈ માટે આ છેલ્લો ટાસ્ક હશે.
શાહિદ આફ્રિદીને મળી મોટી જવાબદારી, પાકિસ્તાન સિલેકશન કમિટીના બન્યા નવા અધ્યક્ષ
ટી20માં કેએલ રાહુલ કર્યા છે નિરાશ
છેલ્લાં કેટલાંક સમયથી જોવામાં આવે તો કેએલ રાહુલનું ટી20 ફોર્મેટમાં પ્રદર્શન ખૂબ જ ઉતાર ચઢાવવાળું રહ્યું છે. આ વર્ષે રાહુલે 16 મેચોમાં 28.93ની એવરેજથી 434 રન બનાવ્યા છે. જેમાં 6 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તે 10 મેચોમાં સાત ઈનિંગ વખતે બેનો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. ટી20 વર્લ્ડ કપમાં તો તેનું પ્રદર્શન તો ખૂબ જ ખરાબ રહ્યું હતું. ત્યારે સામે આવેલા રિપોર્ટ મુજબ, રાહુલની બાદબાકી નક્કી છે. જો રાહુલને ટી20 ટીમમાંથી બહાર કરવામાં આવે તો તેની જગ્યાએ શુભમન ગિલને તક મળી શકે છે. શુભમન ગિલ સિવાય લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલાં પૃથ્વી શોની વાપસીની શક્યતા જોવા મળી રહી છે.
IND vs BAN 2nd Test: આઉટ થયા પછી બાંગ્લાદેશના ખેલાડી સાથે ઝઘડી પડ્યો વિરાટ કોહલી
રોહિત શર્મા પણ થઈ શકે છે બહાર
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કેએલ રાહુલ સિવાય રોહિત શર્મા પણ શ્રીલંકા વિરુદ્ધની ટી20 સિરીઝમાંથી બહાર થઈ શકે છે. રોહિત શર્મા બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન બીજી વનડે દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે ટેસ્ટ સિરીઝમાં રમી શક્યો નહોતો. આવામાં રોહિત શર્મા હજુ સુધી ઈજામાંથી બહાર આવ્યો નથી. જો રોહિત શ્રીલંકા વિરુદ્ધ વાપસી નહીં કરી શકે તો તેની જગ્યાએ હાર્દિક પંડ્યા ટીમની કેપ્ટનસી કરતા જોવા મળી શકે છે.
Read Latest Sports News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story