એપશહેર

વંશીય ટીપ્પણી પર ગુસ્સે થયો અશ્વિન, કહ્યું-આનાથી ઉછેર અને દ્રષ્ટિકોણ ખબર પડે છે

ટીમ ઈન્ડિયાના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને માન્યું કે સિડનીમાં આ રીતનો વ્યવહાર પહેલીવાર નથી થયો

I am Gujarat 10 Jan 2021, 4:16 pm
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ચાલુ ત્રીજી ટેસ્ટ મેચ રમતની સાથે જ વંશીય ટિપ્પણીઓને લઈને પણ ચર્ચામાં છે. મેચમાં ભારતીય ખેલાડીઓ ખાસ તો મોહમ્મદ સિરાઝ પર નિશાન સાધવામાં આવ્યુ હતું. ચોથા દિવસની રમત પૂરી થઈ તે પછી અશ્વિને રવિવારે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં આ વાત પર ગુસ્સો જાહેર કરતા કહ્યું કે, આ ઘટના પરથી કોઈ વ્યક્તિનો ઉછેર કેવો છે તે વિશે ખબર પડે છે.
I am Gujarat racial abuse in sydney test ravichandran ashwin says he also face the same earlier
વંશીય ટીપ્પણી પર ગુસ્સે થયો અશ્વિન, કહ્યું-આનાથી ઉછેર અને દ્રષ્ટિકોણ ખબર પડે છે


સિડનીમાં આવો વ્યવહાર પહેલીવાર નહીંઃ અશ્વિન
ટીમ ઈન્ડિયાના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને માન્યું કે સિડનીમાં આ રીતનો વ્યવહાર પહેલીવાર નથી થયો. અશ્વિને ચોથા દિવસની રમત પૂરી થયા પછી કહ્યું કે સિડનીમાં પહેલા પણ આવી રીતે જ થતું આવ્યું છે. અશ્વિને કહ્યું કે, 'એક સમાજના રુપમાં આપણે ઘણાં જ વિકસિત થઈ ચૂક્યા છે અને આમ આ પ્રકારનો વ્યવહાર ખૂબ જ ખરાબ છે. ક્યાંય ને ક્યાંય આ કારણોસર ઉછેર અને વસ્તુને જોવામાં આપણી દ્રષ્ટિની ખબર પડે છે. આપણે તેની સામે કડકાઈથી કામ લેવું જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે આગળ આવું ન થાય.'

અશ્વિને કહ્યું કે, 'આ ઓસ્ટ્રેલિયામાં મારી ચોથી ટૂર છે અને પહેલા પણ આ રીતની જ ટીપ્પણીઓ થતી રહી છે. સિડનીમાં ખાસ તો દર્શક જ અભદ્રતાપૂર્વક વ્યવહાર કરે છે.' અશ્વિને કહ્યું કે,'સિડનીમાં દર્શક ખાસ તો આગળની હરોળમાં બેસનાર ખરાબ વાતો કરે છે. જેનો ભોગ ખેલાડીઓ પણ બની ચૂક્યા છે. ખેલાડીઓએ પ્રતિક્રિયા આપી છે પરંતુ તેમાં તેમની ભૂલ નથી હોતી.'

અશ્વિને કહ્યું કે દર્શકોનું વલણ આ વખતે તો ખૂબ જ ખરાબ હતું. તેઓ પહેલા પણ ગાળો આપતા રહ્યાં છે પરંતુ આ વખતે તેમણે વંશીય ટીપ્પણી કરી છે. ભારતીય ટીમે શનિવારે દર્શકોના વલણ વિરુદ્ધ ઓફિશ્યિલ ફરિયાદ નોંધાવી હતી. અશ્વિને કહ્યું કે, 'તમને ખબર જ છે કે અમે કાલે ઓફિશ્યિલ ફરિયાદ દાખલ કરાવી હતી. જેના કારણે અમ્પાયરોએ પણ કહ્યું હતું કે કંઈ એવું હોય તો તેને જણાવવામાં આવે જેથી કોઈ એક્શન લેવામાં આવે.'


આ પહેલા હરભજન સિંહે પણ સોશિયલ મીડિયા પર લખ્યું કે,તેની સાથે પણ આવું અનેકવાર થઈ ચૂક્યું છે. ધર્મને લઈને તેની પર પણ નિશાન સાધવામાં આવ્યું છે. નોંધનીય છે કે મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમના ખેલાડીઓ જસપ્રીત અને મોહમ્મદ સિરાઝ પર દર્શકોએ વંશીય ટીપ્પણી કરી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી આ વિશે ફરિયાદ પણ કરવામાં આવી હતી. આ ઘટના રવિવારે મેચના ચોથા દિવસે પણ બની હતી.

Read Next Story