એપશહેર

કોના લીધે ફરી એકવાર વિરાટ કોહલી અને રોહિત શર્માની દોસ્તી વધારે પાક્કી થઈ?

ફરી એકવાર બન્ને ખેલાડીઓ મેદાન પર એકબીજાની સાથે વધારે વાત કરતા અને સલાહ લેતા જોવા મળી રહ્યા છે

Reported byK Shriniwas Rao | TNN 30 Mar 2021, 3:01 pm

હાઈલાઈટ્સ:

  • ભારતના બે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ અને રોહિતની દોસ્તી ફરી પાક્કી થઈ
  • એક ખેલાડી કોણ છે જેના લીધે આ બન્ને ખેલાડીઓ વચ્ચેની કડવાશ થઈ રહી છે દૂર?
  • લાંબા સમય પછી બન્ને ખેલાડીઓ મેદાન પર વધારે સાથે જોવા મળી રહ્યા છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat ravi shastri and quarantine helped kohli and rohit to renew friendship
કોના લીધે ફરી એકવાર વિરાટ કોહલી અને રોહિત શર્માની દોસ્તી વધારે પાક્કી થઈ?
મુંબઈઃ કોરોના વાયરસ મહામારીના સમયમાં ભારતીય ક્રિકેટર્સ માટે મહિનાઓ સુધી બાયો બબલમાં રહેવું સરળ નહોતું. જોકે, આ સખત કોવોરન્ટિન નિયમોમાંથી કંઈક સકારાત્મક બહાર આવ્યું અને તે ભારતીય ક્રિકેટના બે સૌથી મોટા ખેલાડીઓ, રોહિત શર્મા અને વિરાટ કોહલીની નવી 'ફ્રેન્ડશીપ' છે.
અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા મુજબ ઈંગ્લેન્ડ સીરિઝ દરમિયાન ભારતીય ટીમના સૌથી સિનિયર ખેલાડી કોહલી અને રોહિત વચ્ચે ટીમ મેનેજમેન્ટ અને કોચ રવિ શાસ્ત્રીને સમય મળ્યો 'જેમાં તેમણે બેસીને વાત કરીને બધું સમાધાન લાવી દીધું.' બન્ને ખેલાડીઓના સંબંધોને લઈને પાછલા કેટલાક સમયથી મીડિયામાં ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી. હવે ખબર એવી સામે આવી છે કે તેમણે પોતાના સંબંધનો લઈને નવી શરુઆત કરવાનો નિર્ણય લીધો છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, "ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં બે મોટી સીરિઝ જીતવાની ખુશી તો હતી જ. જોકે, વધુ એક સારા સમાચાર પણ સામે આવ્યા. આ બન્ને (રોહિત-વિરાટ) વચ્ચેના સંબંધો મજબૂત થયા છે. તેઓ પોતાની ક્રિકેટ, ટીમ અને આવનારા પડકારો સામે લડાવા મામલે એકસૂરમાં જોવા મળ્યા છે. તેમને હવે એ સારી રીતે સમજાઈ ગયું છે કે તેઓ એક જેવું વિચારશે તો તેનાથી ટીમને ફાયદો થશે. પાછલા 4 મહિનાઓમાં આ સૌથી મોટી સફળતા છે."

સાથે ઈનિંગ શરુ કરવાથી લઈને મેદાન પર એક બીજાના નિર્ણયનું સન્માન કરતા પણ તેઓ દેખાયા, વિરાટ અને રોહિત હવે એક બીજાને વધારે સારી રીતે ઓળખવા લાગ્યા છે. બાયો બબલમાં રહેવાનો અર્થ એ છે કે તમારી પાસે ઘણો સમય છે અને તેનો ફાયદો થયો છે.

સૂત્રોએ આગળ જણાવ્યું કે, "બહાર થનારી વાતો તેમની વચ્ચે કડવાશ વધારી રહી હતી અને આમ-તેમની વાતો વધારે કડવાશ ભરતી હતી. આ ભારતીય ક્રિકેટમાં ઘણાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા છે. તમામ પ્રોફેશનલની જેમ વિરાટ અને રોહિત વચ્ચે પણ અસહમતિ હશે. પરંતુ હાલના સમય પહેલા તેમણે ક્યારેય આ રીતે સાથે બેસીને તેને સ્પષ્ટ રીતે દૂર કરવા અંગે નહોતું વિચાર્યું."

આ બાબતને નજીકથી જોનારાઓએ એ વાત તરફ પણ ધ્યાન આપ્યું કે કઈ રીતે મોટા ક્રિકેટર્સે એ પ્રયાસ કર્યો કે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહેલી 'અફવાઓ બંધ થવી જોઈએ.'

સૂત્રોએ કહ્યું, "હવે તેઓ જાહેરમાં એક બીજા સાથે ઘણી વાત કરી રહ્યા છે, જે રીતે T20 સીરિઝ પૂર્ણ થયા બાદ પ્રેઝન્ટેશન દરમિયાન. તેઓ પહેલા કરતા વધારે ફોટોમાં સાથે જોવા મળી રહ્યા છે. વનડે સીરિઝ દરમિયાન કોહલી અને રોહિત શર્માએ સાથે ઘણી વાત કરતા જોવા મળ્યા. આવું પહેલા પણ થયું હશે પરંતુ આ વખતે તેમણે તેને વધારે પબ્લિક સામે રજૂ કર્યું જેથી બહારના લોકોને ખ્યાલ આવે કે હવે આ બધાનો અંત આવવો જોઈએ."

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો