એપશહેર

ક્રિકેટર શાકિબ અલ હસને કાલી માતાની કરી પૂજા, કટ્ટરપંથીઓની ધમકી પર માગી માફી

ફિક્સિંગના કારણે પ્રતિબંધ ભોગવી ચૂકેલો શાકિબ ગત અઠવાડિયે ગુરુવારે કોલકાતા પહોંચ્યો હતો.

I am Gujarat 17 Nov 2020, 5:13 pm
બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને કોલકાતામાં કાલી માતાની પૂજા કર્યા પછી માફી માગી છે. તેણે યૂ ટ્યૂબ પર પોતાના ચેનલ પરથી એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે ગત અઠવાડિયે પૂજા કરવા અંગે માફી માગી હતી. બાંગ્લાદેશના એક વ્યક્તિએ તેને ફેસબુક પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, સોશિયલ મીડિયા પર વિરોધના કારણે શાકિબ દબાણમાં હતો અને તેણે મંગળવારે માફી માગી હતી. તેણે સાથે જ કહ્યું કે આવું બીજીવાર નહીં થાય.
I am Gujarat shakib al hasan responds after kali puja in kolkata and sorry for his community death threats on fb live
ક્રિકેટર શાકિબ અલ હસને કાલી માતાની કરી પૂજા, કટ્ટરપંથીઓની ધમકી પર માગી માફી


કોલકાતામાં એક કાર્યક્રમમાં શાકિબે હાજરી આપી હતી


ફિક્સિંગના કારણે પ્રતિબંધ ભોગવી ચૂકેલો શાકિબ ગત અઠવાડિયે ગુરુવારે કોલકાતા પહોંચ્યો હતો. જ્યાં બેલીઘાટમાં તેણે માતા કાલીની પૂજા કરી હતી. શાકિબના બાંગ્લાદેશ પરત ફર્યા પછી સિલહટ શહેરના મોહસિન તાલુકદારે ફેસબુક લાઈવમાં કહ્યુ હતું કે, આ ક્રિકેટરે મુસ્લિમનું અપમાન કર્યું છે. તે સાથે જ કહ્યું કે, જો શાકિબને મારવા માટે તેને સિલહટથી ઢાકા આવવું પડે તો તે આવશે.


શાકિબે પોતાના યુ ટ્યૂબ ચેનલ પર પોસ્ટ કરેલા વિડીયોમાં કહ્યું કે,'હું ફરીથી તે જગ્યા (કોલકાતા) નથી જાવા ઈચ્છતો. જો તમને લાગે છે કે એ તમારા વિરુદ્ધ છે તો હું માફી માંગુ છું. હું કોશિશ કરીશ કે આવું બીજીવાર ન થાય. સોશિયલ મીડિયા પર એવા ન્યૂઝ ફેલાઈ રહે છે કે, હું સમારોહમાં ભાગ લેવા માટે ગયો હતો. જોકે, આવું નથી. મેં કોઈ પૂજા પણ નથી કરી. એક જાગૃત મુસ્લિમ હોવાના કારણે હું આવું નહી કરું. જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું માફી માગુ છું.'

Read Next Story