એપશહેર

શ્રીલંકન બોર્ડનું આકરું વલણઃ બાયો બબલ તોડનારા ત્રણ ક્રિકેટર્સ પર લગાવ્યો પ્રતિબંધ

ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન આ ત્રણેય ખેલાડીઓએ કોરોના પ્રોટોકોલનો ભંગ કર્યો હતો

I am Gujarat 30 Jul 2021, 10:41 pm

હાઈલાઈટ્સ:

  • શ્રીલંકન ક્રિકેટ બોર્ડે ધનુષ્કા ગુણતિલાકા, કુસલ મેન્ડિસ અને નિરોશન ડિકવેલા પર એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો
  • આ ત્રણેય ખેલાડીઓએ ઈંગ્લેન્ડ પ્રવાસમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને તેમને વતન મોકલી દીધા હતા
  • બોર્ડે એક શિસ્ત સમિતિ બનાવી હતી અને સમિતિના રિપોર્ટના આધારે બોર્ડે ખેલાડીઓ પર પ્રતિબંધ મૂક્યો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Sri Lanka10
શ્રીલંકન ક્રિકેટ બોર્ડે પોતાના જ ખેલાડીઓ પર આકરુ વલણ અપનાવ્યું છે. બોર્ડની પાંચ સભ્યોની શિસ્ત સમિતિના રિપોર્ટના આધારે તાજેતરમાં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બાયો-બબલના ઉલ્લંઘન બદલ ત્રણ ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે.
ટીમ ઈન્ડિયા કોરોનાની ઝપેટમાં, કૃણાલ પંડ્યા બાદ વધુ બે ખેલાડી પોઝિટિવશ્રીલંકન બોર્ડે બેટ્સમેન ધનુષ્કા ગુણતિલાકા, કુસલ મેન્ડિસ અને વિકેટકીપર નિરોશન ડિકવેલા પર એક-એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત ભારતીય ચલણ પ્રમાણે 38 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
શિસ્ત સમિતિએ પોતાના રિપોર્ટમાં 18 મહિનાના પ્રતિબંધની ભલામણ કરી હતી. આ ઉપરાંત 25,000 ડોલરનો દંડ પણ ફટકારવાની ભલામણ કરી હતી. આ ત્રણેય ખેલાડીઓએ જૂનમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડે ક્રિકેટ મેચ પહેલા ડરહમમાં કોરોના સામે રક્ષણ માટે બનાવવામાં આવેલા બાયો-બબલનું ઉલ્લંઘન કર્યું હતું.
ઓલિમ્પિક ખેલાડીએ કર્યો ખુલાસો, કોન્ડોમની મદદથી મળ્યો મેડલ!આ ત્રણેય ખેલાડીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને સ્વદેશ પરત મોકલી દેવામાં આવ્યા હતા. એક જજની આગેવાનીવાળી પાંચ સભ્યોની શિસ્ત સમિતિએ આ ત્રણેયને દોષિત ઠેરવ્યા છે. ભારત વિરુદ્ધ રમાયેલી વન-ડે અને ટી20 સીરિઝ માટે આ ત્રણેય ખેલાડીઓના નામનો વિચાર કરવામાં આવ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો