ભારતીય ટીમના વિસ્ફોટક ઓલ-રાઉન્ડર યુસુફ પઠાણે જાહેર કરી નિવૃત્તિ
2011ની વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ રહેલા વડોદરાના ઓલ-રાઉન્ડર યુસુફ પઠાણે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે
I am Gujarat 26 Feb 2021, 4:57 pm
ભારતીય ક્રિકેટ ટીમના ઓલ-રાઉન્ડર યુસુફ પઠાણે શુક્રવારે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. યુસુફ પઠાણે ભારત માટે 57 વન-ડે અને 22 ટી20 મેચ રમી હતી. 2011ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો ભાગ રહેલો વડોદરાના વિસ્ફોટક ઓલ-રાઉન્ડર યુસુફ પઠાણ ઘણા લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રહ્યો હતો. 2012થી તે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો ન હતો. જોકે, આ દરમિયાન તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પોતાની વિસ્ફોટક બેટિંગ વડે ક્રિકેટપ્રેમીઓનું મનોરંજન કરતો રહ્યો હતો.
આઈપીએલ-2010મા યુસુફ પઠાણે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 37 બોલમાં સદી ફટકારી હતી જે આઈપીએલની બીજી સૌથી ઝડપી સદી છે. આઈપીએલમાં છેલ્લે તે 2019મા સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમ્યો હતો પરંતુ ફ્રેન્ચાઈઝીએ તેને રિલીઝ કરી દીધા બાદ 2020ની સિઝન માટે યોજાયેલી હરાજીમાં તેને કોઈ ખરીદદાર મળ્યો ન હતો.
યુસુફ પઠાણે શુક્રવારે પોતાના ટ્વિટર પેજ પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે, હું મારા પરિવાર, મિત્રો, ચાહકો, ટીમો, કોચ અને સમગ્ર દેશનો આભાર માનું છું જેમણે હંમેશા મને પ્રેમ આપ્યો અને મારો સપોર્ટ કર્યો. તેણે આ પોસ્ટ સાથે એક લેટર પણ અપલોડ કર્યો છે જેમાં તેણે પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે.
આંતરારાષ્ટ્રીય કારકિર્દી
યુસુફ પઠાણે ભારત માટે 41 વન-ડે રમતા 810 રન નોંધાવ્યા છે જેમાં મોટા ભાગે તેણે ફિનિશરની ભૂમિકા ભજવી છે. તેણે ત્રણ અડધી સદી અને બે સદી ફટકારવા ઉપરાંત 33 વિકેટ પણ ઝડપી હતી. 18 ટી20 ઈનિંગ્સમાં તેણે 146.58ની સ્ટ્રાઈક રેટ સાથે 236 રન નોંધાવ્યા છે અને 13 વિકેટ ઝડપી હતી.
IPLમાં ધમાકેદાર પ્રદર્શન
આઈપીએલમાં યુસુફ પઠાણે કુલ 174 મેચ રમી છે જેમાં તેણે 3204 રન નોંધાવ્યા હતા. જેમાં તેની સ્ટ્રાઈક રેટ 143ની નજીક રહી છે. આઈપીએલમાં તેણે 13 અડધી સદી અને 1 સદી ફટકારી છે. આ ઉપરાંત તેણે 42 વિકેટ પણ પોતાના નામે કરી હતી. યુસુફ પઠાણે ત્રણ વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. 2007મા તેણે રાજસ્થાન રોયલ્સ માટે પ્રથમ ટ્રોફી જીતી હતી. ત્યારબાદ 2021 અને 2014મા કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે તેણે ટ્રોફી જીતી હતી.
ડોમેસ્ટિક ક્રિકેટ કારકિર્દી
વડોદરાના સ્ટાર ખેલાડીએ 100 ફર્સ્ટ ક્લાસ, 199 લિસ્ટ-એ તથા 274 ટી20 મેચ રમી હતી. જેમાં તેણે 14,000થી વધારે રન નોંધાવ્યા છે જ્યારે તમામ ફોર્મેટમાં તેણે 400થી વધુ વિકેટ પોતાના નામે કરી હતી.
આઈપીએલ-2010મા યુસુફ પઠાણે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 37 બોલમાં સદી ફટકારી હતી જે આઈપીએલની બીજી સૌથી ઝડપી સદી છે. આઈપીએલમાં છેલ્લે તે 2019મા સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમ્યો હતો પરંતુ ફ્રેન્ચાઈઝીએ તેને રિલીઝ કરી દીધા બાદ 2020ની સિઝન માટે યોજાયેલી હરાજીમાં તેને કોઈ ખરીદદાર મળ્યો ન હતો.
યુસુફ પઠાણે શુક્રવારે પોતાના ટ્વિટર પેજ પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે, હું મારા પરિવાર, મિત્રો, ચાહકો, ટીમો, કોચ અને સમગ્ર દેશનો આભાર માનું છું જેમણે હંમેશા મને પ્રેમ આપ્યો અને મારો સપોર્ટ કર્યો. તેણે આ પોસ્ટ સાથે એક લેટર પણ અપલોડ કર્યો છે જેમાં તેણે પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે.
આંતરારાષ્ટ્રીય કારકિર્દી
યુસુફ પઠાણે ભારત માટે 41 વન-ડે રમતા 810 રન નોંધાવ્યા છે જેમાં મોટા ભાગે તેણે ફિનિશરની ભૂમિકા ભજવી છે. તેણે ત્રણ અડધી સદી અને બે સદી ફટકારવા ઉપરાંત 33 વિકેટ પણ ઝડપી હતી. 18 ટી20 ઈનિંગ્સમાં તેણે 146.58ની સ્ટ્રાઈક રેટ સાથે 236 રન નોંધાવ્યા છે અને 13 વિકેટ ઝડપી હતી.
IPLમાં ધમાકેદાર પ્રદર્શન
આઈપીએલમાં યુસુફ પઠાણે કુલ 174 મેચ રમી છે જેમાં તેણે 3204 રન નોંધાવ્યા હતા. જેમાં તેની સ્ટ્રાઈક રેટ 143ની નજીક રહી છે. આઈપીએલમાં તેણે 13 અડધી સદી અને 1 સદી ફટકારી છે. આ ઉપરાંત તેણે 42 વિકેટ પણ પોતાના નામે કરી હતી. યુસુફ પઠાણે ત્રણ વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. 2007મા તેણે રાજસ્થાન રોયલ્સ માટે પ્રથમ ટ્રોફી જીતી હતી. ત્યારબાદ 2021 અને 2014મા કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે તેણે ટ્રોફી જીતી હતી.
ડોમેસ્ટિક ક્રિકેટ કારકિર્દી
વડોદરાના સ્ટાર ખેલાડીએ 100 ફર્સ્ટ ક્લાસ, 199 લિસ્ટ-એ તથા 274 ટી20 મેચ રમી હતી. જેમાં તેણે 14,000થી વધારે રન નોંધાવ્યા છે જ્યારે તમામ ફોર્મેટમાં તેણે 400થી વધુ વિકેટ પોતાના નામે કરી હતી.