એપશહેર

હાર્દિક પંડ્યાના પિતાના નિધન પર વિરાટ કોહલી થયો ભાવુક, કહ્યું- સાંભળીને દિલ તૂટી ગયું

I am Gujarat 16 Jan 2021, 1:31 pm
હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલના પિતા હિમાંશુ પંડ્યાનું નિધન થઈ ગયું છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં વડોદરાની કેપ્ટનશીપ કરી રહેલા કૃણાલ પરિવાર પાસે પહોંચવા માટે ટૂર્નામેન્ટ માટે બનાવેલા બાયો બબલથી બહાર નીકળી ગયો છે. જ્યારે હાર્દિક પંડ્યા આ ટૂર્નામેન્ટ નથી રમી રહ્યો કારણ કે તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ આગામી સીરિઝની તૈયારીઓમાં છે. હિમાંશુ પંડ્યાની પોતાના દીકરાઓની સફળતામાં મોટી ભૂમિકા હતી. હાર્દિક અને કૃણાલના પિતાના નિધન બાદ સાથી ક્રિકેટરો બંને ભાઈઓને સાંત્વના આપી રહ્યા છે.
I am Gujarat ohli


એવામાં વિરાટ કોહલી પણ ટ્વીટ કરીને બંને પંડ્યા ભાઈઓને સાંત્વના આપી રહ્યો છે. વિરાટ કોહલીએ પોતાના ટ્વીટમાં લખ્યું, હાર્દિક અને કૃણાલના પિતાના નિધન વિશે સાંભળીને દીલ તૂટી ગયું, એક-બે વખત તેમની સાથે વાત કરી હતી, તેઓ એક આનંદિત અને જીવનથી ભરેલા વ્યક્તિ હતા. તેમની આત્માને શાંતિ મળે. હાર્દિક અને કૃણાલ પંડ્યા તમે બંને મજબૂત રહો.

વિરાટ કોહલી ઉપરાંત ઈરફાન પઠાણે પણ ટ્વીટ કર્યું છે, તેણે લખ્યું છે, 'પહેલીવાર અંકલ સાથે મોતી બાગમાં મુલાકાત થઈ હતી. તેઓ હંમેશા ઈચ્છતા હતા કે તેમના દિકરાઓ સારી ક્રિકેટ રમે. તમારા અને તમારા પરિવારને મારી સહાનુભૂતિ. ભગવાન આ સંકટના સમયમાંથી નીકળવાની શક્તિ આપે.'

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમનો ભાગ નથી. હવે તે ઈંગ્લેન્ડ સામે ફેબ્રુઆરીમાં શરૂ થનારી ઘરેલુ સીરિઝમાં ભારતીય ટીમ તરફથી રમતો જોવા મળશે. ઓસ્ટ્રેલિયા સામે વન-ડે અને ટી-20 સીરિઝમાં હાર્દિક ભારતીય ટીમ તરફથી રમ્યો હતો. ટેસ્ટ સીરિઝની શરૂઆત થતા પહેલા જ તે ભારત પરત ફર્યો હતો.

સચિન ટેંડુલકરે પણ શોક વ્યક્ત કર્યો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો