એપશહેર

પિતાના નિધન પછી નહીં પરંતુ આ કારણોથી બદલાયું વિરાટનું જીવન, કોહલીએ કર્યો ઘટસ્ફોટ

વિરાટ કોહલી ભારતનો જ નહીં દુનિયાનો સૌથી સફળ બેટર છે. તેના જીવનના શરૂઆતી તબક્કામાં કોહલીએ ઘણા ઉતાર ચઢાવનો સામનો કર્યો છે. આવા જ એક કિસ્સા વિશે તેણે વાતચીત કરી હતી. તેણે કહ્યું હતું કે પિતાના નિધન પછી મારો જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલાયો હતો. પરંતુ મારુ જીવન નહોતું બદલાયું. આમાં ફેરફારનું કારણ શું જણાવ્યું તેના પર નજર કરીએ.

Authored byParth Vyas | I am Gujarat 11 Mar 2023, 11:01 am
દિલ્હીઃ વિરાટ કોહલી...ક્રિકેટ જગતનું એક એવું નામ કે જેનાથી બધા પરિચિત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રિકેટમાં વિરાટ કોહલીનું કદ ઘણું વધી ગયું છે . ખરાબ સમયમાંથી બહાર આવીને તે કિંગ કોહલી બન્યો એ સફર કોણ ભૂલી શકે! વિરાટે સતત ફિટનેસ પર કામ કર્યું અને ટીમમાં પણ નવો ટ્રેન્ડ શરૂ કરી દીધો હતો. તેણે તેની કારકિર્દીમાં ઘણા તબક્કા જોયા છે પરંતુ તેનાથી તેનું જીવન બદલાયું નહોતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અત્યારે કોહલીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે અનુષ્કા શર્માને મળીને મારુ જીવન બદલાઈ ગયું છે.
I am Gujarat virat kohli
ફાઈલ ફોટો


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના તાજેતરના પોડકાસ્ટમાં કોહલીએ તેની સફર વિશે વાત કરી હતી. તમારા જીવનની મહત્વપૂર્ણ ક્ષણો વિશે વાત કરો એ મુદ્દે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું કે તેના પિતાના મૃત્યુ પછી વસ્તુઓ પ્રત્યે તેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો હતો, પરંતુ તેનું જીવન બદલાયું નહોતું.

કોહલીએ કહ્યું કે જ્યારે મારા પિતાનું નિધન થયું ત્યારે વસ્તુઓને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હતો. જોકે મારા જીવનમાં કોઈ ફેરફાર થયો ન હતો, જીવન તો પહેલા જેવું જ હતું. હું જીવનમાં શું કરવા માંગુ છું તેના પર ધ્યાન વધુ કેન્દ્રિત થયું હતું. હું મારુ સપનું પૂરું કરવા માટે પ્રેરિત થતો રહેતો હતો, પરંતુ તેનાથી જીવન બદલાયું નહીં. મારી આસપાસનું વાતાવરણ બિલકુલ બદલાયું ન હતું.

જીવનનું એક અલગ પાસુ જોયું
જીવનમાં બદલાતી ક્ષણો વિશે વાત કરતા કોહલીએ કહ્યું કે અનુષ્કાને મળ્યા પછી તેણે જીવનને સાવ અલગ રીતે જોવાનું શરૂ કર્યું છે. ભારતીય સ્ટારે કહ્યું કે હું અનુષ્કાને મળવાને લાઈફ ચેન્જિંગ મોમેન્ટ કહી શકું છું, કારણ કે મેં જીવનની એક અલગ બાજુ જોઈ હતી. જે મારા ભૂતકાળના વાતાવરણ સાથે બિલકુલ મેળ ખાતી નહોતી. આ એક સંપૂર્ણપણે અલગ પરિપ્રેક્ષ્ય હતો.

પ્રેમમાં સતત ફેરફાર આવતો રહે છેકોહલીએ કહ્યું કે આ મારા માટે જીવન બદલાવનારી ક્ષણ હતી, કારણ કે જ્યારે તમે પ્રેમમાં હોવ છો, ત્યારે તમારામાં બદલાવ આવવા લાગે છે. કારણ કે તમે સાથે મળીને આગળ વધવા માંગો છો. તમારે ઘણી બધી વસ્તુઓ સ્વીકારવાની જરૂર છે અને તેથી જ આ ક્ષણ મારા માટે જીવન બદલી નાખનારી ક્ષણ હતી.

Read Next Story