એપશહેર

બ્રિસબેનના હીરો રિષભ પંતે જણાવ્યું કે સીરિઝ જીતવા વોશિંગટન સાથે કેવી રણનીતિ બનાવી હતી

રિષભ પંતે જણાવ્યું કે તે મેચને ડ્રો કરાવવા નહોતો માગતો પણ ઓસ્ટ્રેલિયા સામે ટીમને જીત અપાવવા માટે રમતો હતો

Reported byArani Basu | TNN 24 Jan 2021, 10:07 am
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે બ્રિસબેન ટેસ્ટ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ભારતીય વિકેટકીપર અને બેટ્સમેન રિષભ પંત પોતાના પ્રદર્શનથી ખુશ છે. પંતે 3 ટેસ્ટમાં 5 ઈનિંગ્સ રમી જેમાં274 રન બનાવ્યા હતા, જેમાં બે હાફ સેન્ચ્યુરીનો સમાવેશ થાય છે. બ્રિસબેનમાં રમાયેલી સીરિઝની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં પંતે અણનમ રહીને 89 રન બનાવીને અંતિમ ટેસ્ટ અને સીરિઝ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ દરમિયાન વોશિંગટન સુંદરે પણ પંતનો સાથ આપ્યો હતો. હવે આ ખેલાડીઓએ શું સ્ટ્રેટેજી બનાવી હતી તેનો ખુલાસો થયો છે.
I am Gujarat wanted to win draw wasnt an option rishabh pant
બ્રિસબેનના હીરો રિષભ પંતે જણાવ્યું કે સીરિઝ જીતવા વોશિંગટન સાથે કેવી રણનીતિ બનાવી હતી


અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરીને પંતે કહ્યું કે તેમણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટીમને જીત અપાવવાનું પસંદ છે. ચોથી ટેસ્ટ મેચમાં પંતે કંઈક એવું જ કરી બતાવ્યું. પંતે ઓસ્ટ્રેલિયાના હાથમાં જતા કે મેચ ડ્રો થવા ના દઈને ભારતીય ટીમને જીત અપાવી હતી.

બ્રિસબેન ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં પંતે બોલિંગ ઓલરાઉન્ડર વોશિંગટન સુંદર સાથે મળીને 6ઠ્ઠી વિકેટ માટે 53 રનની મહત્વની પાર્ટનરશીપ કરી. ડાબા હાથના બેટ્સમેન પંતે પોતાની હાફ સેન્ચ્યુરી પાર કરીને 138 બોલનો સામનો કર્યો અને 9 ચોગ્ગા લગાવ્યા, જ્યારે બીજી તરફ એક છગ્ગા સાથે 29 બોલનો સામનો કરીને 22 રન બનાવ્યા.

બનાવી હતી રણનીતિ

જ્યારે પંતને પૂછવામાં આવ્યું કે અંતિમ કલાકમાં જ્યારે રનનો પીછો કરી રહ્યા હતા ત્યારે તમારો વોશિંગટન સુંદર સાથે શું પ્લાન હતો? જેના પર પંતે કહ્યું, "મેં વાશિને કહ્યું કે તમે એંકરની જેમ રમો અને હું મોટા શોટ મારીશ. પરંતુ વોશિંગટને કહ્યું કે તે પણ મોટા શોટ્સ રમશે. પછી અમે નક્કી કર્યું કે એક એંકર અને બીજો મોટા શોટ રમશે. વાશિએ આ રોલ સારી રીતે ભજવ્યો." આ સાથે પંતે એ પણ જણાવ્યું કે અમે મેચ ડ્રો કરાવવા નહોતા ઈચ્છાતા પણ ભારતને મેચ જીતાડવા માગતા હતા.

પંતે કહ્યું કે ટીમ મેનેજમેન્ટે તેમનો ઘણો સાથ આપ્યો કે હું વિનર ખેલાડી છું. હું હંમેશા ભારત માટે મેચ જીતાડવાનું વિચારતો રહું છું અને મેં એવું જ કર્યું.

'મેં શોટ સિલેક્શન પર ઘણી મહેનત કરી'

એવું પૂછવા પર કે એમએસ ધોનીની નિવૃત્તિ પછી તમારી પાસે ફિનિશરના રોલની આશા કરવામાં આવી રહી છે, તેના પર પંતે કહ્યું, જેમણે મને નાનપણથી જોયો છે તેમને ખબર છે કે હંમેશાથી હું મારી ટીમ માટે મેચ વિનિંગ ઈનિંગ્સ રમવા વિશે વિચારું છું. મને લાગે છે કે આ કોઈ ખેલાડીની પ્રાથમિકતા છે. તમે કોઈ એક ખેલાડીના ખભા પર જવાબદારી ના આપી શકો. હા, મેં મારા શોટ સિલેક્શન પર ઘણી મહેનત કરી. ત્યાં સુધી કે બ્રિસબેનમાં રનનો પીછો કરતી વખતે મેં મોટા શોટ રમવા માટે સારા બોલની રાહ જોઈ'

5 ફેબ્રુઆરીથી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝની શરુઆત

પંતે સિડની ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં 118 બોલમાં 97 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ 5 ફેબ્રુઆરીથી ઈંગ્લેન્ડ સામે 4 મેચની ટેસ્ટ સીરિઝ રમશે. જેને લઈને પંત પણ ઉત્સુક છે. સીરિઝની શરુઆતની બે ટેસ્ટ ચેન્નાઈમાં રમાશે. ત્રીજી ટેસ્ટ ડે-નાઈટ હશે.

Read Next Story