એપશહેર

રામ મંદિર ભૂમિ પૂજન પર મોહમ્મદ કૈફનો મેસેજ તમારું દિલ જીતી લેશે

પૂર્વ ભારતીય ક્રિકેટરે દેશના લોકોને પ્રેમ અને એકતાનો મેસેજ આપતા એવી વાત કરી કે, ચારેબાજુ થઈ રહી છે તેની પ્રશંસા

I am Gujarat 5 Aug 2020, 10:41 pm
નવી દિલ્હી: ભારત અને દુનિયાભરના રામભક્તો માટે બુધવારે એટલે કે 5 ઑગસ્ટનો દિવસ ઐતિહાસિક રહ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યું. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત દેશની તમામ દિગ્ગજ હસ્તીઓ અને સંત-મહાત્માઓની ઉપસ્થિતિ રહી.
I am Gujarat cricketer mohammad kaif reaction on ram mandir bhumi pujan
રામ મંદિર ભૂમિ પૂજન પર મોહમ્મદ કૈફનો મેસેજ તમારું દિલ જીતી લેશે


આ નિમિત્તે ભારતીય રમત-ગમતની હસ્તીઓએ પણ ટ્વીટ કરી ખુશી જાહેર કરી અને એકતાનો સંદેશ આપ્યો. આ ક્રમમાં મોહમ્મદ કૈફે ફેન્સને અપીલ કરી કે, નફરતના એજન્ટોને પ્રેમ અને એકતાના રસ્તામાં ન આવવા દેવા જોઈએ. ભગવાન રામ સારપનું પ્રતીક છે અને તેમના વારસાને આપણે આગળ વધારવાનો જોઈએ.

પૂર્વ ક્રિકેટરે ટ્વીટ કરી - હું ઈલાહાબાદ (જેને હવે પ્રયાગરાજ કહે છે) જેવા શહેરમાં ઉછર્યો છું, જ્યાં ગંગા-જમુનાની સંસ્કૃતિ છે. મને કરુણા અને સન્માનનું પ્રતીક રામલીલા જોવી ખૂબ ગમ્યું છે. તેણે આગળ લખ્યું - ભગવાન રામે દરેકની અંદર સારપ જોઈ. આપણે તેમના વારસાને આગળ વધારવાનો છે. હું તમને બધાને અપીલ કરું છું કે, નફરના એજન્ટોને પ્રેમ અને એકતાના રસ્તામાં ન આવવા દો.

તેના આ મેસેજ પર તેને ફેન્સનું પૂરું સમર્થન મળ્યું છે. લોકોએ તેની પ્રશંસા કરી છે. જોકે, કેટલાક લોકો એકતાનો સંદેશ આપવાને કારણે તેના ભડકી ઉઠ્યાં. તેમણે કૈફ માટે અયોગ્ય વાતો પણ લખી છે.

ઉલ્લેખનીય છે કે, આ ઐતિહાસિક બાબતે સુરેશ રૈના, શિખર ધવન અને અમિત મિશ્રા જેવા ખેલાડીઓએ પોતાના ફેન્સને શુભેચ્છા પાઠવી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો