એપશહેર

સુશાંતના સિંહ રાજપૂતના મોતના સમાચારથી લગભગ તૂટી ગયો છે ધોની : નીરજ પાંડે

Shailesh Thakkar | I am Gujarat 22 Jun 2020, 4:25 pm
I am Gujarat director neeraj pandey says mahendra singh dhoni shattered upon sushant singh rajput sudden demise
સુશાંતના સિંહ રાજપૂતના મોતના સમાચારથી લગભગ તૂટી ગયો છે ધોની : નીરજ પાંડે


રીલ ધોનીના જવાથી ખૂબ આઘાતમાં છે રિયલ ધોની

ધોની અને સુશાંતબોલિવૂડના ઝડપથી ઊભરતા ટેલેન્ટેડ એક્ટર સુશાંત સિંહ રાજપૂના નિધનથી ફેન્સ ખૂબ જ દુ:ખી છે. બોલિવૂડ જ નહીં પણ આખી દુનિયાના લોકો સુશાંત માટે ભાવુક થઈ રહ્યાં છે. આ બધાની વચ્ચે ફેન્સે એ સવાલ પણ ઉઠાવ્યો છે કે, આખરે સુશાંતના મોત પર ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હજુ મૌન કેમ છે. સુશાંતે જ ધોનીની બાયોપિક ‘એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’માં તેની ભૂમિકા ભજવી હતી. હવે આ ફિલ્મના ડિરેક્ટર નીરજ પાંડેએ આ વિશે વાત કરી છે.

ધોનીનો સમગ્ર પરિવાર છે દુ:ખી

‘એમ એસ ધોની’માં સુશાંતનીરજ પાંડેએ જણાવ્યું કે, સુશાંત સિંહની આત્મહત્યાના સમાચાર સાંભળી મહેન્દ્ર સિંહ ધોની અત્યંત દુ:ખી થયો છે. 14 જૂનના રોજ સુશાંતે આત્મહત્યા કરી તે જ દિવસે નીરજે ધોનીને કૉલ કર્યો હતો. નીરજે ધોનીને સુશાંતના મોતના સમાચાર આપ્યા જેનાથી ફક્ત ધોની નહીં પરંતુ તેનો આખો પરિવાર દુ:ખી થઈ ગયો. જણાવી દઈએ કે, ધોનીની બાયોપિક વખતે સુશાંતે ફક્ત ધોની જ નહીં તેના સમગ્ર પરિવારના લોકો સાથે લાંબો સમય પસાર કર્યો હતો.

પોતાને લકી માનતો હતો સુશાંત

ધોનીની દીકરી સાથે સુશાંતનીરજ પાંડેએ એ પણ કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત તે સમયે પોતાને ખૂબ લકી માનતો હતો કે તેને મહેન્દ્ર સિંહ ધોની જેવા મહાન ખેલાડીનો રોલ ભજવવા મળ્યો. આના માટે સુશાંતે એટલી મહેનત કરી હતી કે ધોની પણ તેની અનેકવાર પ્રશંસા કરી ચૂક્યો છે. ધોનીની બાયોપિક સુશાંતના કરિયરની સૌથી મોટી ફિલ્મ રહી. આ ફિલ્મ દરમિયાન ધોનીએ જેટલો સમય સુશાંત સાથે વિતાવ્યો હતો તેને ધ્યાનમાં રાખતા એ તો નક્કી છે કે, રિયલ ધોની રીલવાળા ધોનીને મિસ કરશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો