એપશહેર

પાકિસ્તાનની બેઈજ્જતી, શ્રીલંકા સામેની મેચમાં બે વખત મેદાનની લાઈટ જતી રહી

Shailesh Thakkar | I am Gujarat 30 Sep 2019, 11:49 pm
પાકિસ્તાનમાં ઘણા વર્ષો બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચનું આયોજન થયું છે. શ્રીલંકા લાહોર અને કરાંચીમાં 3 વન-ડે અને 3 ટી20 મેચોની સિરીઝ રમવા બાબતે સહમતિ દાખવતા પાકિસ્તાનને મોટી રાહત થઈ છે. જોકે, 4 વર્ષ ઈન્ટરનેશનલ વન-ડે મેચની મેજબાની કરી રહેલા પાકિસ્તાનની પ્રથમ મેચમાં જ બેઈજ્જતી થઈ ગઈ. કરાંચમાં શ્રીલંકા વિરુદ્ધ બીજી વન-ડે દરમિયાન બે વખત લાઈટ જતી રહી. આ કારણે કારણે કરાંચીના નેશનલ સ્ટેડિયમના એક ભાગની ફ્લડ લાઈટ બંધ થઈ ગઈ. લાઈટ જવાને લીધે મેચને રોકવી પડી અને ખેલાડીઓ પીચની પાસે બેસી લાઈટ આવવાની રાહ જોતા રહ્યાં. પહેલીવાર જ્યારે ફ્લડ લાઈટ બંધ થઈ ત્યારે આશરે 15-20 મિનિટ માટે મેચ રોકાઈ ગઈ. આ ખામીને ઠીક કરવામાં આવી એની 5 મિનિટ બાદ ફરી એકવાર લાઈટ જતી રહી. આનાથી પાકિસ્તાની ખેલાડીઓ ગુસ્સે થઈ ગયા. કેપ્ટન સરફરાઝ અહેમદ સ્ટેડિયમના અધિકારીઓ સાથે આ બાબતે ખૂબ ગુસ્સે થઈને વાત કરતો જોવા મળ્યો. બંને વખત શ્રીલંકાની બેટિંગ કરી રહ્યું હતું. બીજી વખત પણ લાઈટ ઠીક કરવામાં 15 મિનિટ લાગી. આ ઘટના બાદ ઘણા લોકો સ્ટેડિયમના મેઈન્ટેન્સ વિશે સવાલ ઉઠાવી રહ્યાં છે. જણાવી દઈએ કે, અગાઉ વરસાદને લીધે પ્રથમ વન-ડે રદ થઈ ગઈ હતી. તે સમયે મેદાનમાંથી નિર્ધારિત સમયમાં પાણી કાઢી શકાયું નહોતું. હવે આ વખતે ફ્લડ લાઈટને કારણે શરમજનક સ્થિતિમાં મુકાવુ પડ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો