એપશહેર

ભુવનેશ્વરની ઈજાએ ખોલી NCAની પોલ, બુમરાહ-હાર્દિકે પણ ત્યાં જવાની ના પાડી હતી

નવરંગ સેન | I am Gujarat 14 Dec 2019, 11:14 pm
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર વધુ એક વખત ઈજાગ્રસ્ત થયો છે. જોકે, તેની ઈજાએ નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)ની પોલ ખોલી દીધી છે. આ ઈજાના કારણે એનસીએમાં કામ કરી રહેલા નિષ્ણાતોની યોગ્યતા પર સવાલો ઊભા થયા છે કેમ કે તેમણે ભુવનેશ્વર કુમારને ઈજામુક્ત જાહેર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહે પણ રીહાબ માટે એનસીએ જવાની ના પાડી દીધી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રોટોકોલ મુજબ કરારબદ્ધ ખેલાડીઓએ રીહાબ માટે એનસીએમાં જવું પડે છે પરંતુ હાર્દિક અને બુમરાહે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે તેઓ બેંગલોરમાં આવેલી એેકેડેમીમાં નહીં જાય. અધિકારીએ જણાવ્યું હતું કે હાર્દિક અને બુમરાહ બંનેએ ટીમ મેનેજમેન્ટને સ્પષ્ટ કહી દીધું છે કે રીહાબ માટે તેઓ એનસીએમાં નહીં જાય અને તેથી જ યોગેશ પરમાર હાર્દિક પર નજર રાખી રહ્યા છે જ્યારે નીતિન પટેલ બુમરાહની ઈજા પર ધ્યાન આપી રહ્યા છે. આ બંને ખેલાડી કરારબદ્ધ છે અને તેથી તેમણે એનસીએમાં જવું જોઈતું હતું પરંતુ જોખમ વધારે છે અને ખેલાડી ઈજાને લઈને ગંભીર છે. તેથી એક સમય બાદ તમારે ખેલાડીઓને સ્વતંત્રતા આપવી પડતી હોય છે કે તેઓ પોતાના નિર્ણયોને લઈ શકે, તેમ અધિકારીએ જણાવ્યું હતું. ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત છે અને તે વર્લ્ડ કપ બાદ એનસીએની અંદર-બહાર આવતો જતો રહ્યો છે કેમ કે તે 100 ટકા ફિટ થવા ઈચ્છે છે પરંતુ એનસીએની ટીમ તેની ઈજાને સમજવામાં નિષ્ફળ રહી છે અને રાષ્ટ્રીય ટીમ માટે બે મેચ રમ્યા બાદ તે ફરીથી ટીમની બહાર થઈ ગયો છે. અધિકારીએ જણાવ્યું હતું કે તે ત્રણ મહિના સુધી એનસીએમાં હતો અને બેંગલોરમાં તેના કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તેમાં જવાના બદલે હું કહી શકું છું કે તેમની તમામ પ્રકારની તપાસ કરવામાં આવી હતી પરંતુ તેમની ઈજા ઠીક થઈ નથી. મુંબઈમાં જ્યારે તેની ઈજાની ફરીથી તપાસ કરવામાં આવી ત્યારે આ સામે આવ્યું છે. આ પ્રથમ વખત નથી કે ખેલાડીને એનસીએમાં આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રિદ્ધિમાન સહાનું પણ ઉદાહરણ આપણી સામે છે અને હવે તે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી શ્રેણીમાં રમી શકશે નહીં. ભુવનેશ્વરની ટીમમાં શું ઉપયોગીતા છે તે આપણે જાણીએ છીએ. તેની પાસે સ્વિંગ અને સીમ છે. જોકે, સારી વાત એ છે કે ભુવનેશ્વરે ટીમ મેનેજમેન્ટને ઝડપથી પોતાની ઈજા અંગે જણાવી દીધું છે. તેથી ટીમ પણ તેના માટે ઝડપથી યોગ્ય પગલાં લઈ શકશે, તેમણે જણાવ્યું હતું.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો