એપશહેર

દેશના સર્વોચ્ચ સ્પોર્ટ એવોર્ડ 'ખેલ રત્ન' માટે નોમિનેટ થયો રોહિત શર્મા, આપ્યું આવું રિએક્શન

Shailesh Thakkar | I am Gujarat 31 May 2020, 11:28 pm
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના લિમિટેડ ઓવર્સના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ પોતાને સ્પોર્ટ્સના સર્વોચ્ચ સન્માન ‘રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર’ માટે નોમિનેટ થવા અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, તે પોતાને ખૂબ સન્માનિત અનુભવ છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) એ શનિવારે આ એવોર્ડ માટે રોહિત શર્માના નામની ભલામણ કરી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોછેલ્લા કેટલાક વર્ષોમાં રોહિત શર્માએ પોતાના પ્રદર્શનથી એક જબરદસ્ત છાપ છોડી છે. BCCI.tv પર રોહિત શર્માનો એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં રોહિતે દેશના સર્વોચ્ચ સ્પોર્ટ્સ એવોર્ડ માટે પોતાના નામની ભલામણ પર પ્રતિક્રિયા આપી છે.
રોહિતે કહ્યું કે, ‘હું ખૂબ જ સન્માનિત અને કૃતજ્ઞ અનુભવી રહ્યો છું કે BCCIએ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે મારા નામની ભલામણ કરી છે. હું BCCI, મારા સાથી ખેલાડીઓ, સપોર્ટિંગ સ્ટાફ, ફેન્સ અને પરિવારજનોનો આભાર વ્યક્ત કરું છું જે હંમેશાં મારી સાથે ઊભા રહ્યાં.’ગત વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાયેલા વર્લ્ડ કપમાં રોહિત શર્માએ 5 સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. કોઈ એક વર્લ્ડ કપમાં આ સૌથી વધુ સેન્ચુરી લગાવવાનો રેકોર્ડ છે. રોહિત ઉપરાંત તેના સાથે ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન, ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અને મહિલા ક્રિકેટની ઑલરાઉન્ડર ખેલાડી દીપ્તિ શર્માના નામની ભલામણ પણ અર્જુન એવોર્ડ માટે કરવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો