એપશહેર

વિરાટ કોહલી સાથે BCCI પ્રમુખની જેમ જ વ્યવહાર કરીશ : ગાંગુલી

Shailesh Thakkar | I am Gujarat 21 Oct 2019, 11:26 pm
કોલકાતા: ટીમ ઈન્ડિયા ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને સૌરવ ગાંગુલી BCCI પ્રમુખની જેમ વાત કરશે. પૂર્વ ભારતીય કેપ્ટન અને નવ નિયુક્ત ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ સોમવારે કહ્યું કે, ‘હું વિરાટ કોહલીને 24 ઑક્ટોબરે મળીશ. જ્યારે હું તેને મળીશ તો એ જ રીતે વાત કરીસ જેવી રીતે BCCI પ્રેસિડેન્ટ કરે છે.’ બાંગ્લાદેશ વિરુદ્ધ આગામી 3 મેચોની ટી20 સીરિઝમાં વિરાટ કોહલી રમશે કે નહીં? આ સવાલના ગાંગુલીએ કહ્યું કે, ‘હું વિરાટ સાથે વાત કરીશ. આ તેના ઉપર છે કે, તે આ સીરિઝમાં રમે છે કે નહીં.’ જણાવી દઈએ કે, બાંગ્લાદેશને ભારત વિરુદ્ધ ઈંદોન અને કોલકાતામાં બે ટેસ્ટ પણ રમવાની છે. જણાવી દઈએ કે, એવા રિપોર્ટ આવી રહ્યાં છે કે, વિરાટ બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સીરિઝનો ભાગ નહીં હોય. તેના સ્થાને રોહિત શર્મા ટીમની કેપ્ટનશિપ સંભાળશે. જ્યારે ટેસ્ટમાં તે રમતો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, કોહલી ભારતીય ટીમ દ્વારા રમવામાં આવેલી છેલ્લી 56માંથી 48 મેચોમાં રમ્યો છે. રોહિત અને ઉમેશ યાદવની કરી પ્રશંસા ઓપનર તરીકે રોહિત શર્માની ઈનિંગ્સની ચર્ચા કરતા, ‘હું રોહિત માટે ખુશ છું. મારે કંઈ કહેવાની જરૂર નથી. તે મોટો બેટ્સમેન છે. અમે જાણીએ છીએ તે શું કરવામાં સક્ષમ છે.’ સાઉથ આફ્રિકા વિરુદ્ધની સીરિઝમાં રોહિતે 3 સદી સાથે 529 રન બનાવ્યા છે. મીડિયા સાથે વાત કરતા ગાંગુલીએ ઉમેશ યાદવની પ્રશંસા કરતા કહ્યું, ‘તે જબરદસ્ત ખેલાડી છે. તે ઓછા ઉછાળવાળી ઈન્ડિયન પિચો પર સરળતાથી વિકેટ લે છે.’

Read Next Story