એપશહેર

પાકિસ્તાની ક્રિકેટરનો રામ પ્રેમ, કહ્યું - તક મળી તો અયોધ્યા જરૂર જઈશ

છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેનારા આ પૂર્વ પાક ક્રિકેટરે શ્રીરામ જન્મભૂમિના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે

I am Gujarat 10 Aug 2020, 11:42 pm
પાકિસ્તાની ટીમ પર પોતે હિન્દુ હોવાને કારણે ભેદભાવનો આરોપ લગાવનારા કનેરિયાએ સોમવારે ટ્વીટ કરી કે, 'અમારા માટે આ એક ધાર્મિક સ્થાન છે અને જો મને તક મળશે તો હું નિશ્ચિતપણે અયોધ્યા જવા માગીશ. હું એક સમર્પિત હિન્દુ છું અને હંમેશાં ભગવાન રામના દેખાડેલા માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરું છું.'
I am Gujarat if i get a chance will definitely go to ayodhya
પાકિસ્તાની ક્રિકેટરનો રામ પ્રેમ, કહ્યું - તક મળી તો અયોધ્યા જરૂર જઈશ


39 વર્ષીય કનેરિયા તે સમયે ચર્ચામાં આવ્યો હતો જ્યારે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે જણાવ્યું હતું કે, આ બોલર સાથે કેટલાક પાકિસ્તાની ક્રિકેટરોએ સારું વર્તન નહોતું કર્યું.


અખ્તરે દાવો કર્યો હતો કે, કનેરિયાના હિન્દુ હોવાને કારણે કેટલાક ક્રિકેટર્સ તેની સાથે જમતા નહોતા. શોએબના આ નિવેદન બાદ ઘણો વિવાદ થયો હતો. જોકે, તેણે કોઈ ક્રિકેટરનું નામ નહોતું લીધું.

જણાવી દઈએ કે, કનેરિયાએ પાકિસ્તાન માટે 61 ટેસ્ટ અને 18 વન-ડે રમી છે. તેના નામ ટેસ્ટમાં 261 અને વન-ડે ઈન્ટરનેશનલમાં કુલ 15 વિકેટ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો