એપશહેર

બાંગ્લાદેશ સામેની T-20 સીરીઝમાં નહીં જોવા મળે વિરાટ કોહલી

Hitesh Mori | I am Gujarat 19 Oct 2019, 6:44 pm
નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી બાંગ્લાદેશ સામે યોજાનારી ત્રણ મેચની ટી-20 સીરીઝમાં જોવા નહીં મળે. વિરાટ લાંબા સમયથી સતત ક્રિકેટ રમી રહ્યો છે જેના કારણે આ સીરીઝમાં આરામ આપવાનો નિર્ણય કરાયો છે. કોહલીની કેપ્ટનશિપવાળી ટીમ માટે વર્કલોડ મેનેજમેન્ટ પ્રાથમિકતા રહી છે. ઘણા સીનિયર ખેલાડીઓ વચ્ચે વચ્ચે આરામ કરે છે પરંતુ કોહલીએ આ પહેલા જાન્યુઆરીમાં બ્રેક લીધો હતો. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો જેને ધ્યાનમાં રાખીને કોહલીને બાંગ્લાદેશ સામે યોજાનારી ટી-20 સીરીઝમાં આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, ‘હા, તે ટી-20 સીરીઝનો ભાગ નહીં બને કારણે કે તેઓ સતત ગેમ રમી રહ્યા છે અને તેમને આરામ કરવાની જરૂર છે. તે ઓસ્ટ્રેલિયા સીરીઝ, આઈપીએલ, વર્લ્ડ કપ, વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ અને સાઉથ આફ્રિકા સીરીઝમાં સતત રમી રહ્યા છે. ખેલાડીઓનું વર્કલોડ મેનેજમેન્ટ, ખાસ કરીને જે ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યા છે, તેઓ અમારી પ્રાથમિકતામાં છે. અમે ઈચ્છીએ છીએ કે ખેલાડી ફ્રેશ અને હંમેશા ફોર્મમાં રહે.’ ટી-20 સીરીઝ માટે ટીમની પસંદગી 24 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. બીસીસીઆઈના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી સિલેક્ટર સાથે મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્ય અંગે ચર્ચા કરશે. કોહલી બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની સીરીઝમાં રમશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો