એપશહેર

વિરાટ કોહલીએ જાહેર કર્યું તેના રેકોર્ડ્સ બ્રેક પ્રદર્શન પાછળનું રહસ્ય

નવરંગ સેન | I am Gujarat 11 Oct 2019, 11:40 pm
પુણેઃ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીનું કહેવું છે કે કેપ્ટનશિપની જવાબદારી તેને પડકારજનક પરિસ્થિતિઓમાં પોતાની મર્યાદાઓની પરે જઈને આગળ વધવા માટે પ્રેરીત કરે છે. તેણે કહ્યું હતું કે આનાથી જ તેને શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં મદદ મળે છે. સાઉથ આફ્રિકા સામે પુણેમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચના પ્રથમ દાવમાં કોહલીએ અણનમ 253 રનની ઈનિંગ્સ રમી છે. જે ટેસ્ટમાં તેની સાતમી બેવડી સદી છે અને તે ટેસ્ટમાં સૌથી વધુ બેવડી સદી નોંધાવનારો ભારતીય બની ગયો છે. શુક્રવારે બીજા દિવસની રમતના અંતે કોહલીએ કહ્યું હતું કે કારકિર્દીમાં નાની-નાની સિદ્ધિઓ મેળવીને ઘણું સારૂ લાગે છે. શરૂઆતમાં મને મોટા સ્કોર નોંધાવવામાં તકલીફ પડતી હતી પરંતુ જ્યારે મને સુકાની બનાવવામાં આવ્યો ત્યારે હું સતત ટીમ અંગે જ વિચારુ છું. તમે ફક્ત તમારી વ્યક્તિગત સિદ્ધિઓ વિશે વિચારી શકો નહીં. પોતાની ઈનિંગ્સ અંગે બોલતા કોહલીએ કહ્યું હતું કે જ્યારે તમે ટીમ વિશે વિચારતા રહો છો તો તમે તમારી મર્યાદાથી પણ આગળ વધીને શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરો છે જે સમાન્ય રીતે તમે કરી શકતા નથી. ગરમી વધારે હતી અને પરિસ્થિતિઓ પડકારજનક હતી પરંતુ જ્યારે તમે ટીમ વિશે વિચારો છો ત્યારે તમે ત્રણ-ચાર કલાક વધારે બેટિંગ કરી શકો છો. આ ઉપરાંત રવીન્દ્ર જાડેજા સામે હોય ત્યારે તમારે વધારે ઝડપી દોડવું પડે છે. આ શારીરિક અને માનસિક રીતે પડકારજનક હતું પરંતુ આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે તમારે આ માટે તૈયાર રહેવું પડે છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો