એપશહેર

કોરોના વાયરસની અસર? INDvSA મેચ પહેલા ધર્મશાળા મેદાનમાં દર્શકોની પાંખી હાજરી

Tejas Jinger | I am Gujarat 12 Mar 2020, 2:12 pm
અમદાવાદઃ આજે ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે પહેલી વનડે મેચ રમાઈ રહી છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળા સ્ટેડિયમમાં પહેલી વનડે મેચ આજે છે. જોકે, કોરોના વાયરસની અસર મેચ પર પણ જોવા મળી રહી છે. મેચ જોવા માટે આવી રહેલા દર્શકો અને સુરક્ષાકર્મીઓ પર માસ્ક લગાવીને કોરોના વાયરસથી બચવા માટે સતર્ક થઈ ગયા છે. ખરાબ હવામાનના કારણે મેચ નિશ્ચિત સમય શરુ થઈ શકી નથી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: સામાન્ય રીતે ધર્મશાળામાં મેચ હોય ત્યારે સ્ટેડિયમ દર્શકોથી ખિચોખિચ ભરેલું હોય પણ આજે મેચ શરુ થવાનો સમય થઈ ગયો હોવા છતાં સ્ટેડિયમમાં દર્શકોની હાજરી ઘણી જ ઓછી દેખાઈ રહી છે. મહત્વનું છે કે ભારતમાં કોરોના વાયરસનો આંકડો 73 પર પહોંચ્યો છે અને ભારતમાં આ જેમ-જેમ પોઝેટિવ કેસનો આંકડો વધી રહ્યો છે સરકાર વધારે સતર્ક બની રહી છે. ભારતીયોને કોરોના વાયરસના વધુ કેસ ધરાવતા દેશોનો પ્રવાસ ટાળવા માટેની પણ સલાહ આપવામાં આવી છે.
કોરોના વાયરસથી બચવા માટે દર્શકો માસ્ક પહેરીને સ્ટેડિયમ પહોંચ્યા મહત્વનું છે કે, ભુવનેશ્વર કુમારે બોલ પર લાળ ના ઘસવાનો સંકેત આપ્યો હતો જોકે, આમ નહીં કરવામાં તેમ પણ નથી કહ્યું. ભૂવનેશ્વરે મેચ પહેલા પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘અમે હજુ આના પર (લાળનો ઉપયોગ ન કરવો) વિચાર્યું છે પણ અત્યારે અમે એ નહીં કહી શકીએ કે, બોલ ચમકાવવા લાળનો ઉપયોગ નહીં કરીએ. જો અમે શાઈન ન ચમકાવી તો અમારી ધોલાઈ થશે અને ત્યારે તમે કહેશો કે અમે સારી બોલિંગ ન કરી શક્યા.’બીજી તરફ ભારત સરકારે દેશમાં Covid-19 ફેલાતો અટકાવવા માટે વીઝા પર 15 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવ્યો છે, ત્યારે IPLમાં આવનારા વિદેશી ખેલાડીઓ પર પણ પ્રશ્નનાર્થ બન્યો છે. IPLની આ વર્ષની સીઝન અંગે બીસીસીઆઈની મહત્વની બેઠક 14મી માર્ચના રોજ થવાની છે જેમાં મહત્વના નિર્ણય લેવામાં આવી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો