એપશહેર

IPL-11: KXIPએ ગેલ, યુવરાજ અને અશ્વિનમાંથી કોને બનાવ્યો કેપ્ટન, જાણો

Hitesh Mori | I am Gujarat 26 Feb 2018, 7:40 pm
I am Gujarat ipl2018 kings xi punjab have appointed r ashwin as their new captain
IPL-11: KXIPએ ગેલ, યુવરાજ અને અશ્વિનમાંથી કોને બનાવ્યો કેપ્ટન, જાણો


ટીમે કેપ્ટનની જાહેરાત કરી

નવી દિલ્હીઃ દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનના ચાહકો માટે સારા સમચાર છે. આઈપીએલની 11મી સીઝમાં તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબે સોમવારે આ જાહેરાત કરી છે. ટીમના ટ્વીટર હેન્ડલ પર આ માહિતી જાહેર કરવામાં આવી. પંજાબે અશ્વિનને 7.6 કરોડ રૂપિયાની કિંમત આપી ખરીદ્યો હતો.

અન્ય મોટા ખેલાડી પણ ટીમમાં

અશ્વિનની સાથે ટીમમાં યુવરાજ સિંહ, ડેવિડ મિલર અને ક્રિસ ગેલ જેવા મોટા ખેલાડી છે. અશ્વિનને જ્યારે પંજાબની ટીમે ખરીદ્યો ત્યારથી જ તેને કેપ્ટન બનાવવાની વાત સામે આવતી હતી. પરંતુ તેની ઓફિશિયલ જાહેરાત આજે કરવામાં આવી. આઈપીએલની શરૂઆત 7 એપ્રિલના રોજ થશે અને તેની ફાઈનલ 27 મેના રોજ રમાશે.

કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ

રવિચંદ્રન અશ્ચિન (કેપ્ટન), મયંક અગ્રવાલ, મુજીબ જાદરાન, મંજૂર ડાર, ડેવિડ મિલર, માર્ક્સ સ્ટોઈનિસ, પ્રદીપ સાહૂ, મનોજ તિવારી, યુવરાજ સિંહ, કરુણ નાયર, કેએલ રાહુલ, અંડ્રૂ ટાઈ, આખાશદીપ નાથ, ક્રિસ ગેલ, એરોન ફિંચ, મોહિત શર્મા, બરિંદર સરાં, અંકિત રાજપૂત, બેન દ્વારશિયસ, મયંક ડાગર, અક્ષર પટેલ

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો