એપશહેર

IPL શરૂ થતા પહેલા બદલાયો આ નિયમ, દરેક ટીમના માત્ર 17 ખેલાડીઓ જ સ્ટેડિયમમાં જશે

દરેક ફ્રેન્ચાઈઝીના માત્ર 17 ખેલાડીઓ જ હોટલથી સ્ટેડિયમ સુધી ટ્રાવેલ કરી શકશે.

I am Gujarat 18 Sep 2020, 12:29 pm
IPL 2020 શરૂ થવાને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ પહેલા એક મોટી ખબર સામે આવી રહી છે. પહેલીવાર આઈપીએલના ઈતિહાસમાં આવું થશે કે ટીમના તમામ ખેલાડીઓ હોટલથી સ્ટેડિયમમાં નહીં જાય, પરંતુ માત્ર સિલેક્ટેડ ખેલાડીઓને જ ટીમ સાથે સ્ટેડિયમ સુધી જવાની મંજૂરી હશે. કોરોના વાયરસની મહામારીને જોતા બીસીસીઆઈ અને IPL કમેટીને તમામ નિયમોનું પાલન કરવું પડી રહ્યું છે. જેનાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકાય.
I am Gujarat ipl
IPL મેચની ફાઈલ તસવીર


નવી જાણકારી મુજબ, આઈપીએલ ટીમ જ્યારે યુએઈમાં મેચો રમવા માટે હોટલથી સ્ટેડિયમ જશે તો તેમની સાથે તેટલા લોકો જ જઈ શકશે જેઓ હોટલના બાયો-બબલમાં સામેલ હશે. આ લોકોમાં બે વેઈટર્સ પણ હશે. દરેક ટીમ બે બસોમાં ટ્રાવેલ કરશે. ભારતમાં ટીમ એક જ બસમાં ટ્રાવેલ કરતી હતી, પરંતુ કોરોનાના કારણે તેમાં ફેરફાર કરવો પડ્યો છે. મેચમાં જે અધિકારીઓ સામેલ હશે તેમને પણ બાયો-બબલમાં રહેવાનું રહેશે. જણાવી દઈએ કે પ્રત્યેક ટીમમાં 22થી 25 ખેલાડીઓનું દળ છે.

UAEથી કેટલાક સૂત્રોએ IANSને જણાવ્યું હતું કે, મેચના દિવસે જ્યારે ટીમ હોટલથી સ્ટેડિયમ જશે તો બે બસોમાં માત્ર 17 ખેલાડીઓ અને 12 સપોર્ટ/કોચિંગ સ્ટાફના સદસ્યો હશે. આ ઉપરાંત બે વેઈટર્સ અને બે લોજિસ્ટિક સાથે જોડાયેલા લોકો હશે. જે લોકો ટીમ હોટલમાં બાયો-બબલનો ભાગ હશે તે લોકો જ ટીમની સાથે બસમાં ટ્રાવેલ કરી શકશે. તમે અહીં બસની માત્ર 50 ટકા કેપેસિટીનો જ ઉપયોગ કરી શકો છો.

સૂત્ર વધુમાં કહે છે, 'અબુ ધાબી, શાહજાહમાં આઈપીએલ સાથે જોડાયેલા દરેક વ્યક્તિ પછી તે ભારતીય હોય કે અન્ય દેશનો, તમામનો દરેક છઠ્ઠા દિવસે કોરોના ટેસ્ટ કરાશે. આ લોકોમાં સ્ટેડિયમ સ્ટાફ, પિચ/ગ્રાઉન્ડ સ્ટાફ અને ટૂર્નામેન્ટ સાથે જોડાયેલા બાકી લોકો છે.' ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈએ પોતાના પ્રોટોકોલમાં પહેલા જ આ વાતની પુષ્ટિ કરી દીધી હતી.

જણાવી દઈએ કે યુએઈમાં ખાસ કરીને અબુ ધાબીમાં કોવિડ-19 સાથે જોડાયેલા પ્રોટોકોલ્સ ખૂબ જ કડક છે અને આઈપીએલ ટીમોને પણ તેનું પાલન કરવું પડશે. આ પહેલા યુએઈ પહોંચ્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સના 2 ખેલાડીઓ સહિત 13 સદસ્યો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. દિલ્હી કેપિટલ્સના ફિઝિયોથેરાપિસ્ટનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. કોરોના વાયરસની મહામારીના કારણે આ વર્ષે આઈપીએલ ભારતમાં નહીં, પરંતુ યુએઈમાં આયોજિત કરાઈ રહી છે. આ મહામારીના કારણે સ્ટેડિયમમાં દર્શકોના આવવા પર પ્રતિબંધ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો