એપશહેર

કંઈક એવું જાણવા મળ્યું છે જે તમારા ક્રિકેટ જોવાના દૃષ્ટિકોણને કાયમ માટે બદલી નાખશે: હરભજન

દિગ્ગજ સ્પિનરે કંઈક મોટો ધડાકો કરવાનો સંકેત આપતા ટ્વીટ કરી, ફેન્સની આતુરતા વધી

I am Gujarat 12 Sep 2020, 7:21 pm
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સિઝન શરૂ થવામાં થોડા જ દિવસો બાકી છે ત્યારે ટૂર્નામેન્ટ અંગે ચર્ચાઓએ જોર પકડ્યું છે. ટીમની સ્ટ્રેટેજી અંગે ખિતાબી જીતની શક્યતા પર લોકો વાત કરી રહ્યા છે. આવામાં ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ઑફ સ્પિનર હરભજન સિંહએ એક ટ્વીટર કરીને લોકોના મનમાં ઘણા સવાલ પેદા કરી દીધા છે.
I am Gujarat harbhajan singh tweet cricket ka khulasa goes viral
કંઈક એવું જાણવા મળ્યું છે જે તમારા ક્રિકેટ જોવાના દૃષ્ટિકોણને કાયમ માટે બદલી નાખશે: હરભજન


અસલમાં, આ ભારતીય સ્પિન બોલર્સે એક ટ્વીટ કરી અને કંઈક મહત્વનું હોવાનું શક્યતા વ્યક્ત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ટ્વીટ IPLની વર્તમાન સિઝનના સંબંધમાં છે. તેણે લખ્યું - ક્રિકેટ આજકાલ ઘણું ચર્ચામાં છે અને હમણાં-હમણાં જ મને કંઈક એવું જાણવા મળ્યું છે જે તમારા ક્રિકેટ જોવાના દૃષ્ટિકોણને કાયમ માટે બદલી નાખશે. આની સાથે જ તેણે હેશટેગ #CricketKaKhulasa લગાવ્યું છે.


જોકે, એ તો હરભજન જ જણાવી શકશે કે, તે શું કહેવા માગે છે પણ ફેન્સનું માનવું છે કે તે IPL 2020 તરફ ઈશારો કરી રહ્યો છે. કેટલાકે તો અપીલ કરી છે કે, કોઈ સારો ખુલાસો જ કરે. કેટલાક યૂઝર્સે સવાલ પણ પૂછ્યા છે. લોકોની આતુરતા વધી ગઈ છે કે, આખરે હરભજનને એવું તે શું જાણવા મળ્યું છે જે આટલું બધું મહત્વનું છે. બધા પોતપોતાના તર્ક લગાવી રહ્યા છે પણ અસલ વાત શું છે તે તો ભજ્જી જ જણાવી શકે છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં આ ટ્વીટને 5 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ વખતે IPL કોવિડ-19ને કારણે દેશની બહાર UAEમાં રમાઈ રહી છે. IPL 2020ની પ્રથમ મેચ બે મોટી ટીમો ચેન્નઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. 19 સપ્ટેમ્બરે રમાનારી આ મેચમાં ધોની અને રોહિત જેવા ધુરંધર ખેલાડીઓની ટીમોની ટક્કરથી ફેન્સ ખૂબ આતુર છે. જોકે, આ મેચમાં હરભજન જોવા નહીં મળે. અસલમાં, તેણે ટૂર્મામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તે પોતાની ફેમિલી સાથે સમય વિતાવવા માગે છે. માનવામાં આવી રહ્યું છે કે, હવે હરભજન કદાચ ક્રિકેટ રમતો જોવા નહીં મળે. 39 વર્ષીય આ ક્રિકેટર ઘણા વર્ષોથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેના સિવાય સુરેશ રૈનાએ પણ નામ પાછું ખેંચી લીધું હતું અને સ્વદેશ પાછો આવી ગયો હતો. આના પર ભારે વિવાદ થયો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો