એપશહેર

IPL: રવિન્દ્ર જાડેજાને વધુ એક ઝટકો, થઈ શકે છે ટુર્નામેન્ટની બહાર

IPL 2022: ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ સારી રહી નથી. ટુર્નામેન્ટની શરૂઆત તેના માટે સારા સમાચારથી થઈ હતી પરંતુ તેનો અંત ખરાબ આવે તેવી શક્યતા છે. આઈપીએલ-2022ની શરૂઆત પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈનું સુકાની પદ જાડેજાને સોંપ્યું હતું. પરંતુ તેની આગેવાનીમાં ચેન્નઈનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું હતું.

Authored byDwaipayan Datta | Edited byચિંતન રામી | TNN 11 May 2022, 5:55 pm

હાઈલાઈટ્સ:

  • IPLની વર્તમાન સિઝન ચેન્નઈના સ્ટાર ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે સારી રહી નથી
  • સુકાની તરીકે નિષ્ફળ રહ્યો ઉપરાંત જાડેજા બેટિંગ અને બોલિંગમાં પણ કોઈ કમાલ કરી શક્યો નથી
  • હવે ઈજાના કારણે રવિન્દ્ર જાડેજા ટુર્નામેન્ટમાં બાકી રહેલી મેચોમાંથી પણ બહાર થઈ શકે છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat ravindra jadeja26
ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ સારી રહી નથી. ટુર્નામેન્ટની શરૂઆત તેના માટે સારા સમાચારથી થઈ હતી પરંતુ તેનો અંત ખરાબ આવે તેવી શક્યતા છે. આઈપીએલ-2022ની શરૂઆત પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈનું સુકાની પદ જાડેજાને સોંપ્યું હતું. પરંતુ તેની આગેવાનીમાં ચેન્નઈનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું હતું. જાડેજાએ અધવચ્ચેથી જ સુકાની પદ ફરીથી ધોનીને સોંપી દીધું. હવે સૌરાષ્ટ્રનો આ સ્ટાર ઓલ-રાઉન્ડર આઈપીએલ-2022ની બાકી રહેલી મેચોમાંથી પણ બહાર થઈ શકે છે. જોકે, તેની પાછળ તેની ઈજા જવાબદાર છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ રમાયેલી મેચમાં જાડેજાને ઈજા થઈ હતી. આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સનો પરાજય થયો હતો. ઈજાના કારણે તે બાદમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં રમી શક્યો ન હતો. ચેન્નઈ સુપર કિંગ્સ છેલ્લા કેટલાક દિવસોથી જાડેજાની ઈજા પર નજર રાખી રહી છે પરંતુ તેમાં હજી જોઈએ તેવો સુધારો આવ્યો નથી. હવે ટુર્નામેન્ટ તેના અંત તરફ જઈ રહી છે અને ચેન્નઈ ગુરૂવારે આગામી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો કરશે ત્યારે ટીમ મેનેજમેન્ટ કોઈ જોખમ લેવા ઈચ્છતું નથી.
IPL: શ્રેયસ ઐય્યરના નિવેદનથી ખળભળાટ, ટીમ સિલેક્શન અંગે કહી મોટી વાતઆમ પણ ચેન્નઈની ટીમ માટે આઈપીએલ-2022નું અભિયાન લગભગ સમાપ્ત થઈ ગયું છે. જો રાજસ્થાન રોયલ્સ કે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ વધુ એક મેચ જીતવામાં સફળ રહેશે તો તેમના 16 પોઈન્ટ થઈ જશે. તેવામાં ચેન્નઈનું અભિયાન સમાપ્ત થઈ જશે અને તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. ચેન્નઈ તેની બાકી રહેલી ત્રણેય મેચ જીતી જશે તો પણ તેના 14 પોઈન્ટ જ થશે. ગુજરાત ટાઈટન્સ ટીમ 18 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ પાસે 16 પોઈન્ટ છે અને તે પણ પ્લેઓફમાં પહોંચવાના આરે છે.
IPL 2022: બુમરાહે 10 રન આપી 5 વિકેટ ઝડપી, પત્ની સંજનાએ કહ્યું- મારો પતિ ફાયર છેરવિન્દ્ર જાડેજા માટે વર્તમાન સિઝન એકદમ કંગાળ રહી છે. સુકાની તરીકે તો તે આ સિઝન યાદ રાખવા ઈચ્છશે જ નહીં પરંતુ બોલિંગ અને બેટિંગ બંનેમાં તે અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. તેણે 10 મેચ રમી છે જેમાં ફક્ત 116 રન જ નોંધાવી શક્યો છે અને પાંચ જ વિકેટ ઝડપી છે. તેમાંથી એક પણ પ્રદર્શન મેચ વિનિંગની નજીક પણ પહોંચી શક્યું નથી. જાડેજાને આરામ આપવામાં આવી શકે છે કેમ કે ઓક્ટોબર-નવેમ્બરમાં ટી20 વર્લ્ડ કપ રમાવાનો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો