એપશહેર

IPL 2022: MIની સતત આઠમી હાર, રોહિત શર્માએ કહ્યું- ખેલાડીઓ જવાબદારી લેવા તૈયાર નથી, પોતાની ભૂલ પણ સ્વીકારી

અત્યાર સુધી પાંચ વાર આઈપીએલની ટ્રોફી જીતી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સ ટીમે ગઈકાલે સતત આઠમી હારનો સામનો કરવો પડ્યો. મુંબઈ ઈન્ડિયન્સના સુકાની રોહિત શર્મા લખનઉ સુપર જાયન્ટ્સ સામે મેચ હાર્યા પછી આ બાબતે વાતચીત કરી હતી. રોહિત શર્માના જણાવ્યા અનુસાર, મિડલ ઓર્ડરના ખેલાડીઓએ જવાબદારી લેવાની જરૂર છે. રોહિત શર્માએ પોતાની પણ ભૂલ સ્વીકારી હતી.

Edited byZakiya Vaniya | TNN 25 Apr 2022, 10:42 am
મુંબઈ- ચેમ્પિયન ટીમ તરીકે ઓળખાતી મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી સતત આઠ મેચ હારી ચૂકી છે. આ સિઝનમાં મુંબઈની આ ટીમ એક પણ મેચ જીતી નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા આ ટીમ પાંચ વાર પોતાના નામે ટ્રોફી કરી ચૂકી છે, પરંતુ કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે આ ટૂર્નામેન્ટમાં નબળી બેટિંગને કારણે તેઓ જીતી નથી શક્યા. ગઈકાલની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને 36 રનથી હરાવી.
I am Gujarat mumbai indians
IPL 2022માં એક પણ મેચ નથી જીતી મુંબઈ ઈન્ડિયન્સ.


IPL 2022: લખનૌના કેપ્ટન KL રાહુલની વિસ્ફોટ સદી, મુંબઈની સતત આઠમી હાર
મેચ પછી રોહિત શર્માએ જણાવ્યું કે, આ ટૂર્નામેન્ટમાં અમે સારી બેટિંગ નથી કરી શક્યા. જે ખેલાડીઓ મિડલ ઓર્ડરમાં રમવા આવે છે તેમણે જવાબારીપૂર્વક લાંબી ઈનિંગ રમવી જોઈએ. વિરોધી ટીમના અમુક ખેલાડીઓએ આ કર્યું છે. એક ખેલાડીઓએ તો સુનિશ્ચિત કરવું જ જોઈએ કે તે શક્ય હોય તેટલી સારી બેટિંગ કરે. આ સિવાય રોહિત શર્માએ સ્વીકાર્યું કે અમુક શોટ્સ બેજવાબદારીપૂર્વક રમવામાં આવ્યા હતા.

'ક્રિકેટના ભગવાન'નો આજે બર્થ-ડે, પુત્ર અર્જુને આ રીતે પપ્પાને કર્યું વિશ
રોહિત શર્માએ આગળ જણાવ્યું કે, મને લાગ્યું કે આજે અમે બોલિંગ ઘણી સારી કરી છે. તે સરળ નહોતી. બેટિંગ માટે આ સારી પિચ હતી. મને લાગ્યું કે અમે સ્કોર બનાવી લઈશુ પરંતુ અમે સારું બેટિંગ ના કરી શક્યા. જ્યારે તમારી પાસે આ પ્રકારનો ટાર્ગેટ હોય ત્યારે ભાગીદારી કરવી જરૂરી બની જાય છે. પરંતુ વચ્ચે અમુક બેજવાબદારીભર્યા શોટ્સ રમવામાં આવ્યા, જેમાં મારી પણ ભૂલ છે.


જ્યારે રોહિત શર્માને પૂછવામાં આવ્યું કે શું ટિમ ડેવિડને લાવવાની કોઈ શક્યતા છે તો સુકાનીએ જવાબ આપ્યો કે, આ ટૂર્નામેન્ટમાં અમારા પર્ફોમન્સને કારણે તમામ લોકો ચર્ચા કરી રહ્યા છે. અમારે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે અમારી એક સ્થાયી ટીમ હોય અને અમારે મિડલ ઓર્ડરના પ્લેયર્સને પૂરતી તક આપવી જોઈએ. પ્લેયર્સ જ્યારે પોતાના દેશ માટે રમતા હોય છે ત્યારે તેમની ભૂમિકા અલગ હોય છે. અહીં અમે તેમની પાસેથી અલગ આશા રાખીએ છીએ. અમે પ્રયત્ન કર્યો કે વધારે પડતા બદલાવ કરવામાં ન આવે અને અમે શક્ય હોય તેટલા બેસ્ટ કોમ્બિનેશન તૈયાર કરીને રમવાનો પણ પ્રયત્ન કર્યો.

રોહિત શર્માએ અંતમાં જણાવ્યું કે, પરંતુ જ્યારે તમે મેચ હારો છો તો આ પ્રકારની ચર્ચા થતી હોય છે. જ્યાં સુધી મારી વાત છે, હું લોકોને પોતાની યોગ્યતા પુરવાર કરવા માટે પૂરતી તકો આપવા માંગુ છું. અમે જે પ્રકારે ઈચ્છતા હતા તે પ્રકારની સિઝન નથી ગઈ, પરંતુ ક્યારેક આવી વસ્તુઓ પણ બને છે.
આ સાથે જ લખનઉ સુપર જાયન્ટના સ્કિપર કેએલ રાહુલની વાત કરીએ તો આ સિઝનમાં બીજી સદી ફટકારીને તે ઘણો ખુશ છે. તે જણાવે છે કે, અમારી ટીમમાં ઘણાં ઓલ-રાઉન્ડર્સ છે, તેમના કારણે વસ્તુઓ સરળ બની જાય છે. આ ટીમ સાથે અમે સારી બેટિંગ કરી શક્યા છીએ. હું સ્થિતિ અનુસાર રમવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હું અત્યારે બેટિંગની સાથે સાથે જવાબદારીઓ પણ એન્જોય કરી રહ્યો છું. આશા રાખીએ કે હું સારું પર્ફોમ કરતો રહું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો