એપશહેર

IPL: કંગાળ પ્રદર્શન બાદ હૈદરાબાદે બદલ્યો કેપ્ટન, વિલિયમ્સન કરશે ટીમનું નેતૃત્વ

આઈપીએલ-2021માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનું પ્રદર્શન ઘણું જ નિરાશાજનક રહ્યું છે, ટીમ ફક્ત એક જ મેચ જીતી શકી છે

I am Gujarat 1 May 2021, 5:00 pm
ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની વર્તમાન સિઝનમાં કંગાળ પ્રદર્શન કરનારી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે કેન વિલિયમ્સનને નવો કેપ્ટન બનાવ્યો છે. હૈદરાબાદની ટીમ આઈપીએલ-14માં પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે આઠમાં ક્રમે છે. સિઝનની પ્રથમ છ મેચમાં ડેવિડ વોર્નરે ટીમનું નેતૃત્વ કર્યું છે. જેમાં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ટીમ છમાંથી પાંચ મેચ હારી ગઈ છે.
I am Gujarat warner9


હૈદરાબાદે એક યાદીમાં જણાવ્યું છે કે, સનરાઈઝર્સ હૈદરાબાદે જાહેર કરવા ઈચ્છે છે કે આવતીકાલની મેચથી કેન વિલિયમ્સન ટીમની કેપ્ટનશિપ કરશે. વિલિયમ્સન હવે આઈપીએલ-2021ની સમગ્ર સિઝનમાં ટીમનો કેપ્ટન રહેશે. નોંધનીય છે કે, હૈદરાબાદની ટીમ તેની આગામી મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે. આ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
કોરોના દર્દીઓને ઓક્સિજન મળે તે માટે સચિન તેંડુલકરે આપ્યું એક કરોડ રૂપિયાનું દાનટીમે જણાવ્યું હતું કે, ટીમ મેનેજમેન્ટે શનિવારે રાજસ્થાન રોયલ્સ સામે રમાનારી મેચ દ્વારા પોતાના ઓવરસીઝ કોમ્બિનેશનમાં પણ ફેરફાર કરશે. ટીમ મેનેજમેન્ટ છેલ્લા ઘણા વર્ષોથી ડેવિડ વોર્નરે ટીમની સફળતામાં આપેલા યોગદાનનું સન્માન કરે છે. અમને આશા છે કે વોર્નર આ સિઝનમાં પણ ટીમની સફળતામાં યોગદાન આપશે.
IPL: પૃથ્વીનો ધમાકેદાર 'શો', એક જ ઓવરમાં ફટકાર્યા છ ચોગ્ગાનોંધનીય છે કે વર્તમાન સિઝનમાં વોર્નર બેટિંગમાં પણ અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. વોર્નરે છ મેચમાં 110.28ની સ્ટ્રાઈક રેટ સાથે 193 રન નોધાવ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાયેલી ટીમની છેલ્લી મેચમાં વોર્નરની બેટિંગ ધીમી રહી હતી. તેણે 55 બોલમાં 57 રન નોંધાવ્યા હતા. મેચ બાદ વોર્નરે સ્વીકાર્યં હતું કે, જે રીતે તેણે બેટિંગ કરી હતી તેના કારણે ટીમનો પરાજય થયો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો