એપશહેર

IPL 2021: સનરાઈઝર્સ હૈદરાબાદને ફટકો, નટરાજન ટુર્નામેન્ટમાંથી થયો બહાર

સનરાઈઝર્સ હૈદરાબાદ માટે વર્તમાન IPL સિઝનની શરૂઆત ખરાબ રહી છે અને હવે તેને વધુ એક ફટકો પડ્યો છે

I am Gujarat 22 Apr 2021, 10:31 pm
નવી દિલ્હીઃ સનરાઈઝર્સ હૈદરાબાદને મોટો ફટકો પડ્યો છે. તેનો સ્ટાર ખેલાડી ટી નટરાજન ઈજાના કારણે હાલમાં રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 14મી સિઝનમાંથી બહાર થઈ ગયો છે.
I am Gujarat natarajan9


સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના સૂત્રોએ જણાવ્યું હતું કે નટરાજનના ઘૂંટણમાં ઈજા થઈ છે જેના કારણે હવે તે સિઝનમાં આગળ રમી શકશે નહીં. સૂત્રોએ જણાવ્યું હતું કે, હા, તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

30 વર્ષીય ડાબોડી ઝડપી બોલર હૈદરાબાદની અંતિમ બે મેચમાં રમ્યો ન હતો. તે વર્તમાન સિઝનામાં ફક્ત બે જ મેચ રમ્યો છે જેમાં તેણે બે વિકેટ ઝડપી હતી.

હૈદરાબાદ માટે વર્તમાન સિઝન અત્યાર સુધી એટલી સારી રહી નથી. ડેવિડ વોર્નરની કેપ્ટનશિપવાળી હૈદરાબાદ ટીમ ચાર મેચ રમી છે. જેમાં તેને ત્રણ મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે જ્યારે ફક્ત એક જ મેચ જીતી છે.

અગાઉ નટરાજન ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરઆંગણે રમાયેલી પાંચ ટી20 મેચની સિરીઝમાં ચાર મેચમાં રમી શક્યો ન હતો. તે વખતે પણ તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી અને તે નેશનલ ક્રિકેટ એકેડેમીમાં હતો. જોકે, પાંચમી અને અંતિમ મેચ માટે તે ટીમમાં પાછો ફર્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો