દુબઈ: ભારત અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન વિરાટ કોહલી કોવિડ-19 મહામારીની વચ્ચે ક્રિકેટ રમવાના મહત્વને સમજે છે અને તે ઈચ્છે છે કે, IPLમાં ભાગ લેનારા તમામ ખેલાડી અને અન્ય સભ્યો ટૂર્નામેન્ટના જૈવ સુરક્ષા વાતાવરણ (બાયો બબલ રિસ્ટ્રીક્શન્સ)નું સન્માન કરે.
RCBના યૂટ્યૂબ કાર્યક્રમ 'બોલ્ડ ડાયરીઝ'માં વાત કરતા 31 વર્ષીય કોહલીએ કહ્યું કે, કોવિડ-19ના કારણે લગાવવામાં આવેલા લૉકડાઉન દરમિયાન તેને ક્રિકેટની ખોટ વર્તાઈ રહી નહોતી. તેણે કહ્યું, 'હું છેલ્લા 10 વર્ષથી સતત ક્રિકેટ રમી રહ્યો હતો. આથી એક રીતે મને નવા રહસ્ય વિશે જાણવા મળ્યું કે, મને દરેક સમયે ગેમની ખોટ વર્તાઈ રહી નહોતી.'
કોહલી હવે UAEમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી IPLની તૈયારીઓમાં જોડાયેલો છે અને તેણે કહ્યું કે, BCCIની માનક સંચાલન પ્રક્રિયા (SOPs) અને જૈવા સુરક્ષિત વાતાવરણના કારણે લગાવાયેલા પ્રતિબંધોનું તમામ ભાગીદારોએ અનિવાર્યપણે પાલન કરવું જોઈએ.
કોહલીએ કહ્યું કે, 'આપણે અહીં ક્રિકેટ રમવા આવ્યા છીએ. ટૂર્નામેન્ટ દરમિયાન દરેક સમયે બાયો બબલ રિસ્ટ્રીક્શન્સનું સન્માન જરૂરી છે. આપણે અહીં મસ્તી કરવા, આમ-તેમ ફરવા અને એ કહેવા માટે નથી આવ્યા કે, હું દુબઈમાં ફરવા માગું છું.'
તેણે કહ્યું, 'આપણે બધા એ પ્રકારના સમયમાં નથી જીવી રહ્યા. આપણે જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ તેનો સ્વીકાર કર્યો અને આપણને IPLનો ભાગ બનવાનો જે અધિકાર મળ્યો છે તેને સમજો. બધાએ આને સ્વીકારવું જોઈએ અને એવો વ્યવહાર ન કરવો જોઈએ જે પરિસ્થિતિની વિપરીત હોય.'
પાંચ મહિના બાદ ક્રિકેટમાં પરત ફરવામાં અંગે કોહલીએ કહ્યું કે, તેને લય મેળવવામાં વધુ સમય ન લાગ્યો. તેણે કહ્યું, 'બે મહિના પહેલા સુધી તમે એમ નહોતા વિચારી શકતા કે, આપણે IPLમાં રમીશું. જ્યારે ગઈકાલ અમારું પ્રેક્ટિસ સેશન થયું ત્યારે મને અહેસાસ થયો કે, કેટલો સમય વિતી ગયો છે. જ્યારે હું પ્રેક્ટિસ સેશન માટે જઈ રહ્યો હતો ત્યારે થોડો નર્વસ હતો.'
ટૂર્નામેન્ટ બાયો બબલમાં દર્શકો વિના રમાશે અને કોહલીએ કહ્યું કે, શરૂઆતમાં તે થોડું વિચિત્ર લાગશે પણ ખેલાડીઓ ટૂંક સમયમાં જ તાલમેલ બેસાડી લેશે. તેણે કહ્યું કે, 'હું એમ નહીં કહું કે, આ મુશ્કેલ અથવા વિચિત્ર નહીં હોય. મેં છેલ્લા 10 વર્ષોથી બેટની બોલને હિટ કરવાનો અવાજ નથી સાંભળ્યો. છેલ્લે આવું રણજી ટ્રોફીમાં થયું હતું પણ પોતાના જિંદગીમાં દરેકે કોઈ સમયે આવું કર્યું છે.'
કોહલીએ દર્શકો વિનાના ખાલી સ્ટેડિયમોમાં રમાનારી ડૉમેસ્ટિક મેચોના સંદર્ભમાં આ વાત કહી. તેણે કહ્યું કે, 'દર્શકોની ગેરહાજરી જરૂર અનુભવાશે પણ ટૂંક સમયમાં આની સાથે તાલમેલ બેસાડી લઈશું.'
સ્વાસ્થ્ય સંબંધિત પ્રોટોકૉલના કારણે મેદાન પર સેલિબ્રેશન કરવાના પ્રકાર બદલાઈ ગયા છે અને કોહલીએ કહ્યું કે, કોઈની તેને અપનાવવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેણે કહ્યું, 'આ સંતુલિત હોવું જોઈએ. તમે સ્વચ્છંદ રહીને કશું કરી શકતા નથી. તમે બાળકો જેવો વ્યવહાર ન કરી શકો.'
જણાવી દઈએ કે, કોહલી અને તેની પત્ની અનુષ્કાના ઘરે જાન્યુઆરીમાં પહેલું બાળક આવવાનું છે અને કોહલીએ કહ્યું કે, જ્યારથી તેને આ અંગે જાણવા મળ્યું છે ત્યારથી તે ખૂબ જ ખુશ છે. તેણે કહ્યું, 'આ અવિશ્વસનીય અહેસાસ છે. અમે કેવો અહેસાસ કરી રહ્યા છીએ તેને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે.'
RCBના યૂટ્યૂબ કાર્યક્રમ 'બોલ્ડ ડાયરીઝ'માં વાત કરતા 31 વર્ષીય કોહલીએ કહ્યું કે, કોવિડ-19ના કારણે લગાવવામાં આવેલા લૉકડાઉન દરમિયાન તેને ક્રિકેટની ખોટ વર્તાઈ રહી નહોતી. તેણે કહ્યું, 'હું છેલ્લા 10 વર્ષથી સતત ક્રિકેટ રમી રહ્યો હતો. આથી એક રીતે મને નવા રહસ્ય વિશે જાણવા મળ્યું કે, મને દરેક સમયે ગેમની ખોટ વર્તાઈ રહી નહોતી.'
કોહલી હવે UAEમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી IPLની તૈયારીઓમાં જોડાયેલો છે અને તેણે કહ્યું કે, BCCIની માનક સંચાલન પ્રક્રિયા (SOPs) અને જૈવા સુરક્ષિત વાતાવરણના કારણે લગાવાયેલા પ્રતિબંધોનું તમામ ભાગીદારોએ અનિવાર્યપણે પાલન કરવું જોઈએ.
કોહલીએ કહ્યું કે, 'આપણે અહીં ક્રિકેટ રમવા આવ્યા છીએ. ટૂર્નામેન્ટ દરમિયાન દરેક સમયે બાયો બબલ રિસ્ટ્રીક્શન્સનું સન્માન જરૂરી છે. આપણે અહીં મસ્તી કરવા, આમ-તેમ ફરવા અને એ કહેવા માટે નથી આવ્યા કે, હું દુબઈમાં ફરવા માગું છું.'
તેણે કહ્યું, 'આપણે બધા એ પ્રકારના સમયમાં નથી જીવી રહ્યા. આપણે જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ તેનો સ્વીકાર કર્યો અને આપણને IPLનો ભાગ બનવાનો જે અધિકાર મળ્યો છે તેને સમજો. બધાએ આને સ્વીકારવું જોઈએ અને એવો વ્યવહાર ન કરવો જોઈએ જે પરિસ્થિતિની વિપરીત હોય.'
પાંચ મહિના બાદ ક્રિકેટમાં પરત ફરવામાં અંગે કોહલીએ કહ્યું કે, તેને લય મેળવવામાં વધુ સમય ન લાગ્યો. તેણે કહ્યું, 'બે મહિના પહેલા સુધી તમે એમ નહોતા વિચારી શકતા કે, આપણે IPLમાં રમીશું. જ્યારે ગઈકાલ અમારું પ્રેક્ટિસ સેશન થયું ત્યારે મને અહેસાસ થયો કે, કેટલો સમય વિતી ગયો છે. જ્યારે હું પ્રેક્ટિસ સેશન માટે જઈ રહ્યો હતો ત્યારે થોડો નર્વસ હતો.'
ટૂર્નામેન્ટ બાયો બબલમાં દર્શકો વિના રમાશે અને કોહલીએ કહ્યું કે, શરૂઆતમાં તે થોડું વિચિત્ર લાગશે પણ ખેલાડીઓ ટૂંક સમયમાં જ તાલમેલ બેસાડી લેશે. તેણે કહ્યું કે, 'હું એમ નહીં કહું કે, આ મુશ્કેલ અથવા વિચિત્ર નહીં હોય. મેં છેલ્લા 10 વર્ષોથી બેટની બોલને હિટ કરવાનો અવાજ નથી સાંભળ્યો. છેલ્લે આવું રણજી ટ્રોફીમાં થયું હતું પણ પોતાના જિંદગીમાં દરેકે કોઈ સમયે આવું કર્યું છે.'
કોહલીએ દર્શકો વિનાના ખાલી સ્ટેડિયમોમાં રમાનારી ડૉમેસ્ટિક મેચોના સંદર્ભમાં આ વાત કહી. તેણે કહ્યું કે, 'દર્શકોની ગેરહાજરી જરૂર અનુભવાશે પણ ટૂંક સમયમાં આની સાથે તાલમેલ બેસાડી લઈશું.'
સ્વાસ્થ્ય સંબંધિત પ્રોટોકૉલના કારણે મેદાન પર સેલિબ્રેશન કરવાના પ્રકાર બદલાઈ ગયા છે અને કોહલીએ કહ્યું કે, કોઈની તેને અપનાવવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેણે કહ્યું, 'આ સંતુલિત હોવું જોઈએ. તમે સ્વચ્છંદ રહીને કશું કરી શકતા નથી. તમે બાળકો જેવો વ્યવહાર ન કરી શકો.'
જણાવી દઈએ કે, કોહલી અને તેની પત્ની અનુષ્કાના ઘરે જાન્યુઆરીમાં પહેલું બાળક આવવાનું છે અને કોહલીએ કહ્યું કે, જ્યારથી તેને આ અંગે જાણવા મળ્યું છે ત્યારથી તે ખૂબ જ ખુશ છે. તેણે કહ્યું, 'આ અવિશ્વસનીય અહેસાસ છે. અમે કેવો અહેસાસ કરી રહ્યા છીએ તેને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે.'