એપશહેર

IPL: કિંગ્સ XI પંજાબના આ ક્રિકેટરને થયો હતો કોરોના, સ્વસ્થ થતા હવે ટીમ સાથે જોડાશે

કિંગ્સ ઈલેવન પંજાબના બેટ્સમેન કરુણ નાયર કોરોના વાયરસથી સંપૂર્ણ સ્વસ્થ થતા હવે ટીમ સાથે જોડાશે. UAE જતા પહેલા ટીમના તમામ સદસ્યોને ત્રણ વખત ફરીથી ટેસ્ટ કરાશે.

I am Gujarat 13 Aug 2020, 10:30 am
ભારતીય ટીમનો બેટ્સમેન કરુણ નાયર કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો છે. તે આગામી અઠવાડિયે કિંગ્સ ઈલેવન પંજાબ સાથે યુએઈ જવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. કરુણ પહેલા કોરોના પોઝિટિવ આવ્યો હતો, પરંતુ 8 ઓગસ્ટે થયેલા ટેસ્ટમાં તે નેગેટિવ આવ્યો છે.
I am Gujarat kings xi punjabs karun nair beats corona and will join team for ipl
IPL: કિંગ્સ XI પંજાબના આ ક્રિકેટરને થયો હતો કોરોના, સ્વસ્થ થતા હવે ટીમ સાથે જોડાશે


બે અઠવાડિયા સેલ્ફ આઈસોલેશનમાં રહ્યો

કરુણ બે અઠવાડિયા સુધી સેલ્ફ આઈસોલેશનમાં રહ્યો. આ બાદ તે ટેસ્ટમાં નેગેટિવ આવ્યો. નાયરને હવે ત્રણ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. કિંગ્સ ઈલેવનના ટીમ મેનેજમેન્ટ યુએઈ જતા પહેલા આ પ્રોટોકોલ નક્કી કર્યા છે. તેનાથી તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ત્રણ વખત કોરોના ટેસ્ટ કરાવવો પડશે. માત્ર તે જ ખેલાડીઓ 20 ઓગસ્ટે યુએઈ જશે જે કોરોના ટેસ્ટમાં પાસ થશે. રિપોર્ટ મુજબ, નાયર બેંગલુરુથી એક ચાર્ટર ફ્લાઈટમાં કેટલાક લોકો સાથે બેસીને દિલ્હી જશે અને પછી ત્યાંથી તેની સાથે અન્ય ખેલાડીઓ જોડાશે.

IPL સાથે જોડાયેલો બીજો કોરોના સંક્રમિત સદસ્ય

IPL સાથે જોડાયેલા કરુણ નાયર બીજો સદસ્ય છે જેને કોરોનાનું સંક્રમણ થયું. બુધવારે રાજસ્થાન રોયલ્સના ફિલ્ડીંગ કોચ દિશાંત યાજ્ઞિક પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. કરુણ નાયરે કિંગ્સ ઈલેવન પંજાબ માટે 14 મેચો રમી છે, જેમાં તેણે 306 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે હાફ સેન્ચુરી ફટકારી હતી. જ્યારે તેની સ્ટ્રાઈક રેટ 134.80ની રહી છે.

ટીમના દરેક સદસ્યોના ત્રણ ટેસ્ટ થશે

IPLએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે લાંબી ટેસ્ટ પ્રક્રિયા બનાવી છે. તેમાં ત્રણ વખત કોરોના ટેસ્ટ, યુએઈમાં એક અઠવાડિયાની લાંબી ક્વોરન્ટાઈન પ્રોસેસ પૂરી કર્યા બાદ જ ટીમો ટ્રેનિંગ શરૂ કરી શકે છે. આ સાથે જ સ્થાનિક સરકારના નિયમો અનુસાર યુએઈમાં આવનારા તમામ બહારના નાગરિક પાસે ઓછામાં ઓછા 96 કલાક પહેલાનો કોરોના નેગેટિવ રિપોર્ટ હોવો જોઈએ.

UAEમાં રમાશે આ IPLની સીઝન

નાયર પહેલો હાઈ-પ્રોફાઈલ ભારતીય ક્રિકેટર હતો, જે કોરોના સંક્રમિત થયો હતો. આ વૈશ્વિક મહામારીની ભારતમાં વધારે અસર જોવા મળી છે. અને સંક્રમિત લોકોની સંખ્યા 23 લાખથી વધારે થઈ ચૂકી છે. આ અમેરિકા અને બ્રાઝિલ બાદ સૌથી વધારે છે. મહામારીના કારણે બીસીસીઆઈને IPLની આ સીઝન યુએઈમાં શિફ્ટ કરવી પડી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો