એપશહેર

WC 2019: સેમીફાઈનલમાં થયેલા રન આઉટ પર ધોનીએ તોડી ચુપ્પી, કહ્યું- તે બે ઈંચ...

Yogesh Gajjar | I am Gujarat 13 Jan 2020, 10:11 am
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડકપ 2019માં ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં રન આઉટ થઈ ગયો હતો. આ મેચ બાદથી ધોની ક્રિકેટથી દૂર થઈ ગયો છે. હવે આ સેમીફાઈનલ મેચના 6 મહિના બાદ ધોનીએ તે રન આઉટને લઈને ચુપ્પી તોડી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:ધોનીનું કહેવું છે કે આ વાતનું તેને હંમેશા દુઃખ રહેશે કે રન આઉટથી બચવા માટે તેણે ડાઈવ કેમ ન લગાવી? રન આઉટ વિશે પૂછવા પર ધોનીએ ઈન્ડિયા ટુડે સાથે વાતચીતમાં કહ્યું, ‘હું પોતાની પહેલી મેચમાં પણ રન આઉટ થઈ ગયો હતો અને આ મેચ (સેમીફાઈનલ)માં ફરીથી રન આઉટ થઈ ગયો. હું પોતાને કહું છું કે મેં ડાઈવ કેમ ન મારી. માત્ર બે ઈંચ દૂર હતો. હું હજુ પણ પોતાને કહેતો રહું છું કે એમએસ તારે ડાઈવ મારવાની જરૂર હતી.’ઉલ્લેખનીય છે કે ધોની જે સમયે આઉટ થયો ત્યારે ભારતને 10 બોલમાં 25 રનની જરૂર હતી. આ બાદ યજુર્વેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમાર બેટિંગમાં આવ્યા પરંતુ ભારતીય ક્રિકેટ ફેન્સને નિરાશા જ હાથ લાગી.નોંધનીય છે કે ભારતીય ટીમે વર્લ્ડકપના ગ્રુપ સ્ટેજમાં સારું પ્રદર્શન કર્યું હતું. ભારતે વેસ્ટ ઈન્ડીઝ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન જેવી ટીમોને હરાવ્યા બાદ સેમીફાઈનલમાં એન્ટ્રી કરી હતી. સેમીફાઈનલમાં ભારતનો સામનો ન્યૂઝીલેન્ડ સાથે થયો. 240 રનોના ટાર્ગેટનો પીછો કરવા ઉતરતા ભારતીય ટોપ ઓર્ડર સસ્તામાં પવેલિયન જતું રહ્યું. આ બાદ રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોનીએ સાતમી વિકેટ માટે 116 રનની પાર્ટનરશીપ કરી. પરંતુ તમામ પ્રયાસો બાદ ભારત જીતી ન શક્યું.આ પણ જુઓઃ સુરતના વેપારીએ હીરા પર બનાવી PM મોદીની તસવીર

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો