એપશહેર

PM મોદીનું શિખર ધવનને ટ્વિટ, પિચ તમને મિસ કરશે

Hitesh Mori | I am Gujarat 20 Jun 2019, 10:21 pm
નવી દિલ્હીઃ પોતાના ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચરને કારણે ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન વર્લ્ડ કપની બાકી રહેલી મેચમાંથી બહાર થઈ ગયો છે. ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ શિખર ધવને ભાવુક થઈ ફેન્સને ટીમ ઈન્ડિયાના વિજય માટે પ્રાર્થના અને તેમને સપોર્ટ કરવા માટે અપીલ કરી છે. ધવનના આ ટ્વીટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો પીએમ મોદીએ લખ્યું છે કે, ‘પ્રિય શિખર ધવન, એ વાતમાં કોઈ શંકા નથી કે તમારી રમતને પીચ પણ મિસ કરશે પરંતુ અમે આશા રાખીએ છીએ કે તમે જલદી સાજા થઈ જાવ, જેથી તમે જલદી થી જલદી મેદાન પર પરત ફરી શકો અને ફરી એક વખત દેશના વિજયમાં વધારે યોગદાન કરી શકો.’
ધવન 9 જૂનના રોજ ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેણે આ મેચમાં 117 રનની ઈનિંગ રમી હતી. આ મેચમાં પેટ કમિંસના એક બાઉન્સર બોલ પર ઈજાગ્રસ્ત થયો હતો. ધવનને પ્રાથમિક સારવાર લીધા બાદ બેટિંગ કરી અને સેન્ચુરી મારીને ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો