એપશહેર

કોહલીની પસંદ પર કપિલે લગાવી મહોર, રવિ શાસ્ત્રી ફરી બન્યા ટીમ ઈન્ડિયાનો કોચ

Hitesh Mori | I am Gujarat 16 Aug 2019, 6:38 pm
મુંબઈઃ રવિ શાસ્ત્રી ફરી એક વખત ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. શુક્રવારે પૂર્વ કેપ્ટન કપિલ દેવની આગેવાની વાળી ક્રિકેટ સલાહકાર સમિતિએ ઈન્ટરવ્યૂ લીધા હતા. અંતમાં બીસીસીઆઈ દ્વારા ભારતીય ટીમના કોચ અંગે જાહેરાત કરવામાં આવી.મુખ્ય કોચની દાવેદારીમાં કુલ છ નામ હતા. જેમાં રોબિન સિંહ, માઈક હેસન, લાલચંદ રાજપૂત, ફિલ સિમંસ, ટોમ મૂડી અને રવિ શાસ્ત્રી. સિમંસે શુક્રવારે પોતાનું નામ પરત ખેંચી લીધું હતું.કેપ્ટન વિરાટ કોહલીએ ખુલીને શાસ્ત્રીને ફરી કોચ બનાવવા માટે આવે તેની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પહેલા કરેલી પ્રેન્સ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જો શાસ્ત્રી ફરી કોચ બનશે તો તેમને ખુશી થશે. આ ઉપરાંત આગામી બે વર્ષમાં ભારતી ટીમને બે વર્લ્ટ ટી20માં ભાગ લેવાનો છે. જેથી શાસ્ત્રીને કોચ પદે યથાવત રાખી ટીમમાં પણ કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.શાસ્ત્રીનો રેકોર્ડજુલાઈ 2017થી ભારતે શાસ્ત્રીના કોચિંગમાં 21માંથી 13 ટેસ્ટ જીતી. જીતની એવરેજ 52.38 ટકા રહી છે. જ્યારે ટી20 ઈન્ટરનેશનલમાં 36 માંથી 25 મેચ જીતી 69.33 એવરેજ રહી છે. જ્યારે વનડેમાં 60 માંથી 43 મેચ જીતી 71.67ની એવરેજ રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો