એપશહેર

શ્રેયસ ઐયરે છગ્ગો માર્યો તો બોલ છાપરા પર જઈને પડ્યો, કોહલીનું રિએક્શન ગજબનું હતું

Tejas Jinger | I am Gujarat 8 Jan 2020, 10:51 am
પહેલી મેચ વરસાદમાં ધોવાઈ ગયા પછી ત્રણ સીરિઝની T20ની બીજી મેચ ભારતે જીતી લીધી છે. શ્રીલંકાએ આપેલા 142 રનના ટાર્ગેટ સામે ભારતે 15 બોલ બાકી રહેતા મેચ પર જીત મેળવી લીધી હતી. આ દરમિયાન શ્રેયસ ઐયરે લગાવેલા છગ્ગાને જોઈને વિરાટ કોહલીને પણ આશ્ચર્ય થયું હોય તેવું રિએક્શન આપ્યું હતું.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: 142 રનના ટાર્ગેટ સામે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમમાં કેએલ રાહુલ (45), શિખર ધવન (32), શ્રેયસ ઐયર (34) અને કેપ્ટન વિરાટ કોહલી (30*)એ શાનદાર બેટિંગ કરીને 17.3 ઓવરમાં 3 વિકટ પર 144 રન બનાવીને મેચ જીતી લીધી હતી.સોશિયલ મીડિયા પર મેચમાં ભારતીય ટીમે કરેલી બેટિંગની સાથે શ્રીલંકાના સ્પિનર હસરંગા દ્વારા ફેંકવામાં આવેલા 17મી ઓવરના અંતમ બોલ પર શ્રેયષ ઐયરે લગાવેલો છગ્ગો ગજબનો હતો. ખુદ શ્રેયસ ઐયર પણ છગ્ગો માર્યા પછી બોલને જોતો રહ્યો અને જોયું કે બોલ છાપરા પર જઈને પડ્યો તો તેના મોઢા પર આશ્ચર્ય જોવા મળ્યું. પીચના બીજા છેડે ઉભેલા વિરાટ કોહલીને પણ ઐયરનો આ શોટ જોઈને મોટું આશ્ચર્ય થયું હતું.
ઐયરની સાથે કેપ્ટન કોહલીને પણ છગ્ગો જોઈને આશ્ચર્ય થયું. કારણ કે બોલ બહુ જ દૂર ગયો હતો. ઐયરે 26 બોલનો સામનો કરીને 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારીને 34 રન બનાવ્યા હતા. અમદાવાદઃ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ, આકર્ષણનું કેન્દ્ર બન્યા રંગબેરંગી પતંગો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો