એપશહેર

મેચ ફિક્સિંગમાં ફસાયો બાંગ્લાદેશી કેપ્ટન શાકિબ અલ હસન, બે વર્ષ માટે પ્રતિબંધિત

Shailesh Thakkar | I am Gujarat 29 Oct 2019, 6:51 pm
ઢાકા : બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઑલરાઉન્ડર શાકિબ અલ હસન પર બે વર્ષનો પ્રતિબંધ લાગી ગયો છે. શાકિબ પર આ પ્રતિબંધ મેચ ફિક્સિંગની ઑફર મળવાની વાત છૂપાવવાને કારણે લગાવવામાં આવ્યો છે. બાંગ્લાદેશના ટેસ્ટ અને ટી20 ટીમના કેપ્ટન શાકિબે આઈસીસીના એન્ટી કરપ્શન યૂનિટના ત્રણ નિયમોના ઉલ્લંઘન કરવાની વાત સ્વીકારી લીધી, જ્યારબાદ તેના પર કાર્યવાહી કરવામાં આવી. શાકિબ તાજેતરમાં જ ખતમ થયેલા વન-ડે વર્લ્ડ કપમાં હાઈએસ્ટ રન સ્કોરરમાં ત્રીજા સ્થાને રહ્યો હતો. અહીંથી શાકિબનું કરિયર ખતમ થઈ જાય તેવી આશંકાઓ પણ છે. બે વર્ષ પહેલા મળી હતી ઑફર શાકિબ પર જે મામલે કાર્યવાહી કરવામાં આવી છે તે બે વર્ષ જૂનો છે. ત્યારે એક મેચ પહેલા બુકીએ શાકિબનો સંપર્ક કર્યો હતો. નિયમો અંતર્ગત આ પ્રકારની કોઈપણ ઑફર મળવા પર ખેલાડીએ તરત જ ICCને સૂચના આપવાની હોય છે પણ શાકિબે એવું નહોતું કર્યું. આવામાં એ માનવામાં આવ્યું કે, તેણે જાણી જોઈને આ વાત છૂપાવી. અહેવાલ અનુસાર, શાકિબે મેચ ફિક્સિંગ માટે મળેલી ઑફર આઈસીસીથી છૂપાવી હતી. આની ખબર ICCના એન્ટી કરપ્શન બ્યૂરોને થઈ. ત્યારબાદ તેમણે શાકિબ સાથે વાત કરી અને આ દરમિયાન તેણે પોતાના પર લાગેલા આરોપોને સ્વીકારી લીધા. જોકે, પોતાનો પક્ષ મુકતા શાકિબે કહ્યું કે, તેણે બુકીની ઑફરને ગંભીરતાથી નહોતી લીદી અને એટલે ICCને તે અંગે જાણ ન કરી. બે વર્ષનો પ્રતિબંધ લાગ્યા બાદ શાકિબ હવે ભારતના પ્રવાસે નહીં આવે. અહીં ટીમને ત્રણ ટી20 અને બે ટેસ્ટ મેચ રમવાની છે. અગાઉ શાકિબની આગેવાનીમાં જ બાંગ્લાદેશના ક્રિકેટર્સ પગાર વધારાની માગણી સાથે હડતાળ પર ઉતર્યા હતા. ત્યારબાદ બાંગ્લાદેશ બોર્ડે આ મુદ્દે શાકિબને નોટિસ મોકલી હતી

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો