એપશહેર

'મિસ્ટ્રી સ્પિનર' અજંતા મેન્ડિસે ક્રિકેટમાંથી લીધો સન્યાસ

Shailesh Thakkar | I am Gujarat 28 Aug 2019, 9:35 pm
પોતાની મિસ્ટ્રી બોલિંગથી દુનિયાભરના બેટ્સમેનોમાં ખળભળાટ મચાનવારા શ્રીલંકન સ્પિનર અજંતા મેન્ડિેસે ક્રિકેટમાંથી સન્યાસ લઈ લીધો છે. મેન્ડિસ છેલ્લા ચાર વર્ષથી ટીમની બહાર હતો અને નેશનલ ટીમમાં સ્થાન ન મળી શકવાને કારણે ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો. મેન્ડિસે 10 એપ્રિલ 2008માં વેસ્ટ ઈન્ડીઝ સામે પોતાના વન-ડે કરિયરની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તેની બોલિંગ એટલી શાનદાર અને ખતરનાક હતી કે, મોટા-મોટા દિગ્ગજો પણ તેની સામે રન બનાવી શકતા નહોતા અને તેને વિકેટ આપી બેસતા હતા. જોકે, બાદમાં તેની ચમક ફિકી પડતી ગઈ અને કંગાળ પ્રદર્શનને કારણે તેને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો. તેણે છેલ્લી વન-ડે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 26 ડિસેમ્બર 2015ના રોજ રમી હતી. આ દરમિયાન 87 મેચોમાં તેણે 152 વિકેટ ઝડપી જેમાં 13 રન આપીને 6 વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. મેન્ડિસે ટેસ્ટમાં ભારત વિરુદ્ધ પદાર્પણ કર્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં તે એકંદર સફળ બોલર રહ્યો. તેણે 19 મેચોની 31 ઈનિંગ્સમાં 70 વિકેટ ઝડપી. આ દરમિયાન 4 વખત 5 કે તેથી વધુ અને એક વખત મેચમાં 10 કે તેથી વધુ વિકેટો ઝડપી. 99 રન આપી 6 વિકેટ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. જણાવી દઈએ કે, અજંતા મેન્ડિસ જ એ બોલર હતો જેણે 2008ના એશિયા કપની ફાઈનલમાં ભારત સામે તરખાટ મચાવ્યો હતો. તેણે પોતાની મિસ્ટ્રી બોલિંગથી ભારતને એકલાહાથે ફાઈનલમાં હરાવ્યું હતું. આ મેચમાં તેણે 13 રન આપી છ વિકેટ ઝડપી હતી, જેમાં સેહવાગ, યુવરાજ જેવા દિગ્ગજોની વિકેટ પણ શામેલ હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો