એપશહેર

"આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એમએસ ધોનીનો ટાઈમ પૂરો થઈ ગયો છે"

Tejas Jinger | I am Gujarat 20 Sep 2019, 10:02 am
સ્ફોટક મહેન્દ્રસિંહ ધોનીએ છેલ્લા કેટલાક સમયથી પોતાની બેટિંગ સ્ટાઈલ બદલી છે, ધોનીની સ્લો બેટિંગના કારણે તેની ટિકાઓ થતી રહી છે, ત્યારે ધોની વર્લ્ડકપ બાદ ગ્રાઉન્ડ પર જોવા મળ્યો નથી. ધોનીને લઈને હવે ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવાસ્કરે ધોનીને લઈને મોટું નિવેદન આપ્યું છે.ગાવાસ્કરે કહ્યું કે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોનીનો સમય પૂરો થઈ ગયો છે, ભારતને વર્લ્ડ કપ જીતારનારા કેપ્ટનની આગળ વિચારવું જોઈએ. એક સમાચાર ચેનલ સાથે વાત કરીને ગાવાસ્કરે કહ્યું કે ધોનીની આગળ વિચારવાનું શરુ કરવું જોઈએ. ગાવસ્કરનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ધોનીના કરિયરને લઈને ઘણાં સવાલ ઉઠી રહ્યા છે.ધોનીએ ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હાર બાદ કોઈ એકપણ મેચ નથી રમી. ધોનીએ વેસ્ટ ઈન્ડિઝ સામેના પ્રવાસ ટાળીને આરામ કરવાનો નિર્ણય કર્યો હતો. ધોનીએ ઓગસ્ટમાં પેરા-રેજિમેન્ટ સાથે કાશ્મીરમાં ટ્રેનિંગ લીધી હતી.ગાવાસ્કરે કહ્યું, “ધોનીનો સમય પૂરો થઈ ગયો છે. હું સંપૂર્ણ સન્માન સાથે કહેવા માગુ છું કે, તેમનો સમય પૂરો થઈ ગયો છે. ભારતે હવે આગળ જોવું જોઈએ. ધોની પ્રત્યે સંપૂર્ણ સન્માન દર્શાવીને હું કહેવા માગું છું કે, તેમને બહાર કરવામાં આવે તે પહેલા તેમણે વિદાય લઈ લેવી જોઈએ.” મહત્વનું છે કે, સાઉથ આફ્રીકાના પ્રવાસ પહેલા કોહલીએ કહ્યું હતું કે ધોનીનો નિવૃત્તિનો નિર્ણય અંગત છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો