એપશહેર

પાક ક્રિકેટર્સનો આરોપ, BCCIએ રદ્દ કરાવ્યો ટી20 વર્લ્ડ કપ

આ બે પૂર્વ પાક ક્રિકેટર્સનું માનવું છે કે, BCCIએ તેના પાવરનો યુઝ કરી ટી20 વર્લ્ડ અને એશિયા કપ સ્થગિત કરાવ્યા જેથી IPL રમાઈ શકે

I am Gujarat 23 Jul 2020, 4:18 pm
નવી દિલ્હી: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ગત સોમવારે ICC ટી20 વર્લ્ડને સ્થગિત કરી દીધો. ICCને ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ જાણકારી આપી હતી કે, કોરોના વાયરસને કારણે વર્તમાન સમયમાં તેના માટે એ શક્ય નથી કે, તે આ ટૂર્નામેન્ટને આયોજિત કરી શકે પણ પાકિસ્તાનના ખેલાડીઓને આ વાત હજમ થઈ રહી નથી. તેઓ વર્લ્ડ કપ સ્થગિત થવાનું કારણ BCCI અને તેની ટી20 લીગ IPLને માની રહ્યા છે.
I am Gujarat t20 world cup can go to hell ipl should not damage shoaib akhtar rashid latif flare up at icc
પાક ક્રિકેટર્સનો આરોપ, BCCIએ રદ્દ કરાવ્યો ટી20 વર્લ્ડ કપ


પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફ અને પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વર્લ્ડ કપ સ્થગિત થવા અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, BCCI નહોતું ઈચ્છતું કે, વર્તમાન સમયમાં T20 વર્લ્ડ કપ રમાય. તે શક્તિશાળી બોર્ડ છે, જેના દમ પર તેણે પોતાની વાત મનાવી લીધી. બંને ક્રિકેટર્સે એ માન્યું કે, ભારતીય ક્રિકેટ બોર્ડ IPLનું આયોજન કરવા માગતું હતું એટલે ટી20 વર્લ્ડ કપને સ્થગિત કરવામાં આવ્યો. નહીંતર એશિયા કપ અને ટી20 વર્લ્ડ આ સ્થિતિમાં પણ રમાઈ શકતા હતા.

સહજ વાત છે કે, ટી20 વર્લ્ડ કપ અને એશિયા કપ રદ્દ થવાને કારણે આ વખતે પાકિસ્તાન ક્રિકેટ (PCB)ના રેવેન્યૂને ખૂબ મોટું નુકસાન થશે. તેના ખેલાડીઓને IPLમાં રમવાની પરવાનગી નથી એટલે પાકિસ્તાની ખેલાડીઓની આ પ્રતિક્રિયા સ્વાભાવિક છે. ટી20 વર્લ્ડ કપ સ્થગિત થયા બાદ BCCIને સપ્ટેમ્બરથી નવેમ્બરમાં જે ખાલી વિન્ડો મળી છે તેમાં તે IPLનું UAEમાં આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે. BCCIએ આ બાબતે એ પ્રસ્તાવ તૈયાર કરી ભારત સરકાર પાસે મંજૂરી માગી છે.

અખ્તરે જિયો ક્રિકેટ સાથે વાત કરતા ટી20 વર્લ્ડ કપ રદ્દ થવાનું જવાબદાર BCCIને ગણાવતા કહ્યું કે, 'આખરે એક શક્તિશાળી વ્યક્તિ અથવા પાવરફુલ ક્રિકેટ બોર્ડ જ આ નીતિઓને ચલાવે છે અને એ ધ્યાન રાખે છે કે, તમારે આનું પરિણામ ભોગવવું જ પડશે. ટી20 વર્લ્ડ કપ અને એશિયા કપ આ વર્ષે રમાઈ શકતા હતા. આ ભારત-પાકિસ્તાન માટે આ વર્ષે એકબીજા સામે વાની તક હતી પણ તેમણે તેને જવા દીધી. આના પાછળ ઘણા કારણ છે, જેના ઊંડાણમાં હું જવા માગતો નથી.'
રાવલપિંડી એક્સપ્રેસે કહ્યું કે, 'હું અને રાશિદ લતીફ સતત કહેતા રહીશું કે, ટી20 વર્લ્ડ કપ આ વર્ષે રમાઈ શકતો હતો, પણ તેઓ આને થવા નહીં અને એ તે નહીં થાય. IPLને નુકસાન ન થવું જોઈએ, ભલે ટી20 વર્લ્ડ કપ ચૂલ્હામાં જાય. ભારતે ક્રિકેટ બચાવવાની જરૂર છે, નહીંતર મારા સમયના ક્રિકેટ પર આનો કોઈ પ્રભાવ નહીં હોય.' અખ્તરે કહ્યું, 'આવા નિર્ણયોથી ક્રિકેટના સ્તરમાં ઘટાડો થશે પણ લોકો આ રમતથી લાખો ડૉલર્સ કમાતા રહેશે.'

રાશિદ લતીફે કહ્યું કે, ICCએ ટી20 વર્લ્ડ કપ સ્થગિત કરવાનો નિર્ણય એટલા માટે લીધો કારણે તે બધા ક્રિકેટ બોર્ડને ફાયદો પહોંચાડી રહ્યો હતો. તેણે સૌરવ ગાંગુલીના તે વક્તવ્ય પર પણ સવાલ ઉઠાવ્યો જ્યારે તેમણે એશિયા કપ રદ્દ થવાની ઑફિશિયલ એનાઉન્સમેન્ટ પહેલા જ મીડિયાને તેને જાણકારી આપી દીધી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો