એપશહેર

‘IPL રમો છો ત્યારે વર્કલોડ નથી હોતો? ભારત માટે રમો છો ત્યારે જ કેમ?’, સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાની ઝાટકણી કાઢી

T20 World Cupમાં હવે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ટ્રોફી માટે ટક્કર થશે. ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડ સામે કારમી હાર થઈ હતી. આ હાર પછી અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. પૂર્વ સુકાની સુનિલ ગાવસ્કરે જણાવ્યું કે ભારતીય ટીમે વર્કલોડ મેનેજમેન્ટના મુદ્દાથી આગળ વધી જવું જોઈએ. તેમણે IPLનો ઉલ્લેખ કરીને ટીમની ઝાટકણી કાઢી છે.

Edited byZakiya Vaniya | I am Gujarat 12 Nov 2022, 10:58 am
ગુરુવારના રોજ ભારતીય ક્રિકેટ ટીમે T20 World Cupની સેમિ-ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. આ હારથી ક્રિકેટના ફેન્સ ખૂબ નિરાશ થયા. ભારત આગળ સુધી પહોંચતા દેશવાસીઓમાં એવી આશા જાગી હતી કે ફરી એકવાર દેશમાં વર્લ્ડ કપ આવશે. ભારતે પહેલા બેટિંગ કરી હતી અને 168 રન કર્યા હતા. ઈંગ્લેન્ટ તરફથી જોસ બટલરે 49 બોલમાં 80 રન(નોટઆઉટ) અને એલેક્સ હેલ્સે 47 બોલમાં 86 રન કર્યા હતા અને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યુ હતું. એક પણ વિકેટ ગુમાવ્યા વિના ઈંગ્લેન્ડની ટીમે 169 રનનો ટાર્ગેટ પૂરો કર્યો હતો. ભારતની કારમી હાર પછી ટીમ ઈન્ડિયાના સિલેક્શન સહિત વિવિધ મુદ્દાઓ પર પ્રશ્ન થઈ રહ્યા છે. પૂર્વ સુકાની અને દિગ્ગજ ખેલાડી સુનિલ ગાવસ્કરે પણ વર્કલોડ મેનેજમેન્ટ બાબતે ટીમ ઈન્ડિયાની આકરી ઝાટકણી કાઢી છે.
I am Gujarat sunil gavaskar
વર્કલોડ બાબતે સુનીલ ગાવસ્કરે ઝાટકણી કાઢી


T20 World Cupની ફાઈનલમાં ના પહોંચેલી ટીમ ઈન્ડિયાને મળ્યા કરોડો રૂપિયા, હાર્યા છતાં ખેલાડીઓના ખિસ્સા ભરાયા
સુનિલ ગાવસ્કરે જણાવ્યું કે ભારતીય ક્રિકેટ ટીમે હવે આ વર્કલોડ મેનેજમેન્ટના મુદ્દાથી આગળ વધવું જોઈએ. જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ રમવાની વાત હોય છે ત્યારે ખેલાડીઓ આ બધી સમસ્યાઓ ભૂલી જતા હોય છે. સુનિલ ગાવસ્કરે જણાવ્યું કે, બદલાવ તો થશે. જ્યારે તમે વર્લ્ડ કપમાં જીતી નથી શકતા તો ચોક્કસપણે બદલાવ થશે. આ જે વર્કલોડ-વર્કલોડની વાતો ચાલી રહી છે, કિર્તી અને મદને સાચી વાત કહી હતી કે વર્કલોડ માત્ર ભારત માટે રમવાનું હોય ત્યારે જ કેમ થાય છે?

સુનિલ ગાવસ્કરે વધુમાં જણાવ્યું કે, તમે IPL રમો છો, આખી સિઝન રમો છો, ત્યાં તમે ટ્રાવેલિંગ પણ કરો છો. માત્ર ગત IPL સિઝન ચાર સેન્ટર પર થઈ હતી, બાકી તો તમે અહીં-તહીં અલગ અલગ શહેરોમાં દોડતા રહો છો. ત્યાં તમને થાક નથી લાગતો? ત્યારે વર્કલોડ નથી હોતો/ માત્ર જ્યારે ભારત માટે રમવાની વાત હોય, એ પણ જ્યારે નોન-ગ્લેમરસ દેશોમાં જવાની વાત હોય, ત્યારે જ વર્કલોડ બને છે? આ વાત ખોટી છે. ભારતીય ખેલાડીઓને વધારે પડતા પેમ્પર કરવાની જરુર નથી. BCCIએ તમામ ક્રિકેટર્સને એક સખત સંદેશ પાઠવવાની જરુર છે.

રોહિત શર્મા, વિરાટ કોહલી કે અન્ય કોઈ.. કોણ લઈ રહ્યું છે સન્યાસ? ગાવસ્કરના નિવેદનથી આવ્યો ભૂકંપ
આટલુ જ નહીં સુનિલ ગાવસ્કરે આગળ જણાવ્યું કે, વર્કલોડ અને ફિટનેસ એકસાથે શક્ય નથી. જો તમે ફિટ છો તો વર્કલોડનો પ્રશ્ન ક્યાં આવ્યો? અમે મરાઠીમાં કહીએ છીએ કે થોડો લાડ ઓછો કરવાની જરૂર છે. અમે તમને ટીમમાં લઈ રહ્યા છીએ, તમને ફી આપી રહ્યા છીએ. જો વર્કલોડને કારણે તમે રમી નથી શકતા તો રીટેનર ફી પણ નીકાળો. જો તમે મેચ નથી રમતા તો તમારી રીટેનર ફી પણ નીકળી જવી જોઈએ. પછી ઘણાં બધા લોકો વર્કલોડ ભૂલીને રમવા લાગશે. આઈપીએલ આવે છે ત્યારે બધા વર્કલોડ ભૂલી જાય છે. બદલાવ ચોક્કસપણે થશે, થવા પણ જોઈએ. સિલેક્શન કમિટી કરશે.

Read Next Story