એપશહેર

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર: હાર્દિક પંડ્યા કેપ્ટન, રોહિત-રાહુલ-કોહલીને મળશે આરામ

T-20 વર્લ્ડકપ 2022 બાદ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે. સોમવારે BCCI દ્વારા આ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે. ભારત ન્યૂઝીલેન્ડ સામે 3 T-20 અને 3 વનડે મેચ રમશે. આ સિરિઝ માટે ટીમ ઈન્ડિયાના સિનિયર પ્લેયર્સને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે T-20 ટીમનું સુકાન હાર્દિક પંડ્યાને આપવામાં આવ્યું છે. વન-ડેની કેપ્ટનશીપ શિખર ધવનને આપવામાં આવી છે.

Edited byNilesh Zinzuvadiya | I am Gujarat 31 Oct 2022, 11:17 pm
BCCI દ્વારા ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. T-20 સિરિઝ માટે હાર્દિક પંડ્યા અને વનડે માટે શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. બોર્જે આ સાથે બાંગ્લાદેશ પ્રવાસ માટે પણ ટીમની જાહેરાત કરી દીધી છે.
I am Gujarat Team NZ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર કરવામાં આવી છે


T-20 વર્લ્ડકપ 2022 બાદ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે. સોમવારે BCCI દ્વારા આ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે. ભારત ન્યૂઝીલેન્ડ સામે 3 T-20 અને 3 વનડે મેચ રમશે. આ સિરિઝ માટે ટીમ ઈન્ડિયાના સિનિયર પ્લેયર્સને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે T-20 ટીમનું સુકાન હાર્દિક પંડ્યાને આપવામાં આવ્યું છે. વન-ડેની કેપ્ટનશીપ શિખર ધવનને આપવામાં આવી છે.

T-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋષભ પંત (ઉપ-કેપ્ટન, વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજૂ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપયાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર, ઉમરાન મલિક


વનડે સિરિઝ માટે ટીમ ઈન્ડિયાઃ શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (ઉપ-કેપ્ટન, વિકેટકીપર), શુભમન ગિલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અચ્ચર, સંજૂ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શહબાઝ અહમદ, યુજવેંદ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચાહર, કુલદીપ સેન, ઉમરાન મલિક.

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી જેવા મોટા પ્લેયર્સને આરામ આપવામાં આવ્યો છે. એટલે કે આ ખેલાડીઓ T-20 વર્લ્ડકપ બાદ તેઓ પરત ફરશે. ભારતીય ટીમ અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે અને T-20 વર્લ્ડકપ રમી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર બાદ ડિસેમ્બરમાં ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશનો પ્રવાસ કરશે. વર્તમાન સમયમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં વિશ્વકપમાં ભાગ લઈ રહી છે અને તે બે મેચ રમી ચુકી છે, જે પૈકી એક મેચમાં પાકિસ્તાનને હરાવ્યું છે જ્યારે આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો છે.

Read Next Story