એપશહેર

વર્લ્ડકપ માટે રવાના થતા પહેલા સાંઈના દરબારમાં પહોંચ્યા કોચ રવિ શાસ્ત્રી

Shailesh Thakkar | I am Gujarat 21 May 2019, 4:32 pm
I am Gujarat team india head coach ravi shastri and fielding coach r shreedhar reach shirdi to seek blessings for the world cup
વર્લ્ડકપ માટે રવાના થતા પહેલા સાંઈના દરબારમાં પહોંચ્યા કોચ રવિ શાસ્ત્રી


વર્લ્ડકપ પહેલા કોચ શાસ્ત્રીએ લીધા બાબાના આશિર્વાદ

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા મંગળવારે વર્લ્ડકપ માટે રવાના થવાની છે. ઈંગ્લેન્ડ માટે રવાના થતા પહેલા ટીમ ઈન્ડિયા પોતાના મિશન વર્લ્ડકપ અંગે પ્રેસ કૉન્ફરન્સ કરશે. આનાથી થોડા કલાક પહેલા જ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી અને ટીમના ફીલ્ડિંગ કોચ આર.શ્રીધરે આજે શિરડી પહોંચીને સાંઈબાબા પાસેથી વર્લ્ડ કપ મિશન માટે આશીર્વાદ લીધા. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ફીલ્ડિંગ કોચ આર શ્રીધરે પણ કર્યા દર્શન

કેદાર જાધવ ફિટ થતા કોહલીને હાશકારો

વર્લ્ડ કપ માટે રવાના થતા પહેલા ટીમ માટે સારા ન્યૂઝ એ છે કે, ઑલરાઉન્ડર ખેલાડી કેદાર જાધવે પોતાનો ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે અને તે ટીમ સાથે મિશનમાં જોડાવા માટે પૂરી રીતે ફિટ છે. કેદાર IPLમાં કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ રમતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ માટે વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ 15 ખેલાડીઓની ટીમ ઈંગ્લેન્ડ માટે રવાના થઈ રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો