એપશહેર

INDvWI 3rd ODI: બાઉન્સરથી નખ ઉખડી ગયો છતાં મેદાનમાં ઊભા રહી ટીમને જીતાડી

Yogesh Gajjar | I am Gujarat 15 Aug 2019, 3:56 pm
ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝ પ્રસાવમાં શાનદાર પ્રદર્શન કરીને ટી-20 બાદ વન-ડે સીરિઝ પણ જીતી લીધી. વન-ડે સીરિઝની અંતિમ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડીઝને 6 વિકેટે હાર આપી. આ મેચમાં કોહલીએ અણનમ સદી ફટકારી. જોકે ત્રિનિદાદથી ભારતીય ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. મેચમાં કોહલીના અંગૂઠા પર ઈજા પહોંચી છે.
અંગૂઠાનો નખ ઉખડી જતા પીડાથી પરેશાન વિરાટ કોહલીમેચ દરમિયાન ઈનિંગ્સની 27મી ઓવરમાં કેમાર રોચનો બાઉન્સર કોહલીના જમણા હાથના અંગૂઠા પર વાગ્યો. બોલ વાગ્યા બાદ પીડાથી પરેશાન કોહલીએ ફીઝિયોને બોલાવ્યા. ત્યારે ખબર પડી કે કોહલીનો નખ ઉખડી ગયો છે. આ સમયે કોહલી 85 રને બેટિંગ કરી રહ્યો હતો. સારવાર બાદ તે ક્રિઝ પર ટકી રહ્યો અને ભારતે 15 બોલ પહેલા જ ટાર્ગેટ હાંસેલ કરી લીધો.આ ઈજાના બાદ કોહલીના અંગૂઠામાં ફ્રેક્ચર તો નથીને તેવા ભયથી ભારતીય ડ્રેસિંગ રૂમમાં ચિંતા વધી ગઈ હતી. જોકે મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે તે બિલકુલ ઠીક છે અને 22 ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝ માટે તૈયાર છે.
નખ ઉખડી ગયા બાદ ફિઝિયો પાસેથી સારવાર લઈ રહેલો વિરાટ કોહલીમેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ કહ્યું કે, ‘મને નથી લાગતું કે આ કોઈ ફ્રેક્ચર છે. જો આવું હોત તો હું (બેટિંગ) ચાલું ન રાખી શક્યો હોત. મને નખમાં ઈજા થઈ હતી. પહેલી ટેસ્ટ શરૂ થતા પહેલા હું ઠીક થઈ જઈશ.’ ભારતની આ જીતમાં કોહલીએ 99 બોલમાં અણનમ 114 રનની ઈનિંગ રમી હતી. સીરિઝમાં સતત બે સદી ફટકારનાર કોહલી ‘મેન ઓફ ધ સીરિઝ’ રહ્યો હતો.આ પણ વાંચો… એમ્બ્યુલન્સને નીકળવામાં મદદ કરનારા 12 વર્ષના છોકરાને ‘બ્રેવરી એવોર્ડ’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો