એપશહેર

રિપોર્ટરે પૂછ્યું- કોચ શાસ્ત્રી સાથે વાત થઈ? ગાંગુલીએ પોતાના અંદાજમાં આપ્યો જવાબ

Tejas Jinger | I am Gujarat 18 Oct 2019, 2:42 pm
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ટૂંક સમયમાં બીસીસીઆઈના બોસ બનવાના છે આ પહેલા ધોની, કોહલી, રોહિત, કોચ રવિ શાસ્ત્રી જેના નામો પર વિવિધ સવાલો અને અટકળો લગાવવામાં આવી રહી છે. આ મુખ્ય નામોમાં શાસ્ત્રી અને ગાંગુલીના સંબંધોમાં ખટરાગ જગજાહેર છે. આ મામલે સૌરવ ગાંગુલીને રિપોર્ટરે સવાલ કર્યો કે, રવિ શાસ્ત્રી સાથે તમે વાત કરી? જેનો ગાંગુલીએ તેના અંદાજમાં જવાબ આપ્યો.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: હસતા-હસતા ગાંગુલીએ રિપોર્ટરને કહ્યું, હવે તેમણે એવું શું કરી નાખ્યું? આ વાત ત્યારે થઈ, જ્યારે બીસીસીઆઈના અધ્યક્ષ માટે પસંદ કરાયા બાદ તેઓ કોલકાતા પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને તેમણે મીડિયાના સવાલોના જવાબ પણ આપ્યા.2016માં સામે આવી હતી અનબનઆ બન્ને દિગ્ગજ ખેલાડીઓ વચ્ચેની અનબન 2016માં સામે આવી હતી જ્યારે કોચ પદ માટેની રવિ શાસ્ત્રીએ અરજી કરી હતી. તે સમયે ગાંગુલી, સચિન તેન્ડુલકર અને વીવીએસ લક્ષ્મણ ક્રિકેટ એડવાઈઝરી કમિટીના સભ્ય હતા જેમણે કોચનું સિલેક્શન કરવાનું હતું. તે સમયે કુંબલેને કોચ તરીકે પસંદ કરાયા હતા અને રવિ શાસ્ત્રી આ વાતથી નારાજ હતા.જ્યારે શાસ્ત્રીએ કહ્યું કે તેમના ઈન્ટરવ્યુ દરમિયાન ગાંગુલી બેઠકમાં હાજર નહોતા. તેના જવાબમાં ગાંગુલીએ તે સમયે કહ્યું હતું કે શાસ્ત્રી મૂર્ખાઓની દુનિયામાં જીવી રહ્યા છે, અને ટીમ ઈન્ડિયાના કોચ પસંદ ના થવા પર તે પોતે દોષી છે. જોકે, કુંબલેના હટ્યા પછી શાસ્ત્રીને ટીમ ઈન્ડિયાના કોચ બનાવવામાં આવ્યા. 25 વર્ષના યુવાનને શરમાવે એટલી ઝડપે દોડ્યો 62 વર્ષનો અનિલ કપૂર

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો