એપશહેર

BCCI અધ્યક્ષ બનતા પહેલા જ ગાંગુલીએ કરી આ વાત, કહ્યું - હું ઈચ્છું છું કે વિરાટ....

Shailesh Thakkar | I am Gujarat 15 Oct 2019, 11:15 pm
કોલકાતા: BCCIનું અધ્યક્ષ પદ સંભાળવા માટે તૈયાર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ મંગળવારે કહ્યું કે, તે ઈચ્છે છે કે, ભારતીય ટીમ મેનેજમેન્ટ આવનારા સમયમાં મોટી ICC ટૂર્નામેન્ટ્સમાં જીત મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે. ગાંગુલીએ કહ્યું કે, તે ઈચ્છે છે કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આ દિશામાં ગંભીરતાથી વિચારે. મુંબઈમાં નોમિનેશન દાખલ કર્યા બાદ કોલકાતા પહોંચેલા ગાંગુલીએ ઈડન ગાર્ડન્સમાં સંવાદદાતાઓને કહ્યું, ‘આપણે હવે મોટી ટૂર્નામેન્ટ્સ જીતવા પર ફોકસ કરવું પડશે. હું જાણું છે કે, આ લોકો બધી ટૂર્નામેન્ટ્સ ન જીતી શકે, જોકે એ પણ સાચું છે કે, આ લોકોએ ઘણી ટૂર્નામેન્ટમાં નિષ્ફળતા સહન કરી છે.’ ગાંગુલીએ કહ્યું કે, આજની ટીમ તેમના સમયની ટીમથી ઘણી સારી છે કારણ કે, સમયની સાથે ટીમ માનસિક રૂપે શક્તિશાળી બની છે. CBAના અધ્યક્ષ અનુસાર, ‘અત્યારે ટેલેન્ટની કોઈ કમી નથી. આપણ વર્લ્ડ કપ સેમીફાઈનલમાં પહોંચ્યા પણ ટાઈટલ ન જીતી શક્યા. વિરાટે આ દિશામાં ગંભીરતાથી વિચારવું પડશે અને આ કામ બોર્ડરૂમમાં ન થઈ શકે.’ ભારતે પોતાની છેલ્લી ICC ટૂર્નામેન્ટ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં 2013માં જીતી હતી. ઈંગ્લેન્ડમાં ભારતે 50 ઓવરની ચેમ્પિયન્સ ટ્રૉફી પોતાના નામે કરી હતી. કોહલીની કેપ્ટનશિપમાં ભારત આ વર્ષે ઈંગ્લેન્ડમાં આયોજિત વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પહોંચ્યું અને ત્યાં હારી ગયું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો