એપશહેર

તેંડુલકરથી નારાજ કેરળવાસીઓએ મારિયા શારાપોવાની માગી માફી, આવું છે કારણ

ખેડૂત પ્રોટેસ્ટ અંગેની ટ્વીટ કર્યા પછી અનેક લોકોએ દુનિયાની પૂર્વ નંબર 1 ખેલાડીની માફી માગી છે.

I am Gujarat 5 Feb 2021, 4:42 pm
તિરુવનંતપુરમઃ ખેડૂતના પ્રદર્શનને લઈને સચિન તેંડુલકરના ટ્વીટથી નારાજ અનેક કેરળવાસીઓએ ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાના સોશિયલ એકાઉન્ટ પર માફી માગી છે. જે 2015માં એક ઈન્ટરવ્યૂ દરમિયાન આ ચેમ્પિયન ક્રિકેટર વિશે ન જાણવા બદલ ટીકાનો શિકાર બની હતી. મોટાભાગના લોકોએ દુનિયાની આ પૂર્વ નંબર 1 ખેલાડીની માફી માગી છે તો કેટલાકે તેને કેરળ આવવાનું આમંત્રણ પણ આપ્યું છે.
I am Gujarat keralites upset with tendulkar apologized to sharapova for not knowing sachin
તેંડુલકરથી નારાજ કેરળવાસીઓએ મારિયા શારાપોવાની માગી માફી, આવું છે કારણ



એકે મલયાલમમાં લખ્યું છે કે, 'શારાપોવા તમે સચિનના મામલે યોગ્ય હતાં. તેમાં એવો ગુણ જ નથી કે તમે તેને ઓળખો' પોતાના ટ્વીટર હેન્ડલ પર મેસેજનું પૂર જોઈને શારાપોવાએ બુધવારે ટ્વીટ કરી હતી કે, 'કોઈ અન્યને વર્ષ વિશે કોઈ કન્ફ્યૂઝન છે'

ફેન્સે કરેલી ટ્વીટ્સ


તેંડુલકર સહિત અનેક ક્રિકેટ સ્ટાર્સ અને ફિલ્મી સેલેબ્સે કૃષિ કાનૂન વિરુદ્ધ ખેડૂતોના આંદોલનના સમર્થનમાં ગ્લોબલ સેલેબ્સ ઉતર્યા તો તેના વિરુદ્ધમાં સરકારનું સમર્થન કર્યુ હતું.


શું હતી તેંડુલકરની ટ્વીટ?
તેંડુલકરે લખ્યું હતું કે, 'ભારતની સંપ્રભુતાથી સમજૂતી ન કરી શકાય. વિદેશી તાકાતો દર્શક હોય શકે છે પરંતુ પ્રતિભાગી નહીં. ભારતને ભારતીય જાણે છે અને તે જ ભારત માટે નિર્ણય કરશે. એક દેશ તરીકે એકસાથે રહેવાની જરુર છે.' શારાપોવાએ 2015માં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે તેંડુલકરને નથી જાણતી. જે પછી ભારતીય દર્શકોએ તેની ખૂબ જ ટીકા કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો