રસુલ બેલાય, વૃતાંકર મુખર્જી, નવી દિલ્હી/ કોલકાતા: સેમસંગ પોતાના લેટેસ્ટ મોડલ ગેલેક્સી નોટ 7ના ભારતમાં લોન્ચમાં વધુ એક વાર ડિલે કરવાનું છે, અને તેનાથી આ ફેસ્ટિવ સીઝનમાં એપલને ઘણો ફાયદો થઈ શકે છે. બેટરી પ્રોબ્લમને કારણે ભારતમાં નોટ 7ના લોન્ચને પોસ્ટપોન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નામ જાહેર ના કરવાની શરતે સેમસંગના એક અધિકારીએ જણાવ્યું કે સેમસંગ પહેલા વેચેલા 2.5 મિલિયન ડિવાઈસને પાછા મંગાવવા માંગે છે. ત્યારબાદ કંપની ડિવાઈસને સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને યુએસમાં રિલોન્ચ કરશે.
સેમસંગ ઈન્ડિયા સપ્ટેમ્બરના અંતમાં ફોન લોન્ચ કરવાનું હતુ. હવે લાગી રહ્યું છે કે દિવાળી પહેલાં લોન્ચ કરશે. એક અન્ય અધિકારીનું કહેવું છે કે લોન્ચ દિવાળી પછી પણ થઈ શકે છે. જો સેમસંગની રિલોન્ચની યોજના સમસસર પુરી નહી થાય તો તેની અસર ભારતના લોન્ચ પર પડી શકે છે. યૂએસ અને કોરિયામાં 60 ટકા ફોન પાછા આવી ગયા છે.
ઉલ્લેખનીય છે કે 7મી ઓક્ટોબરથી એપલ પોતાના iPhone 7નું વેચાણ ચાલુ કરશે. નોટ 7 ભારતમાં લોન્ચ થાય તે પહેલાં એક કન્ઝ્યુમર ટ્રસ્ટ કેમ્પેઈન પણ કરવામાં આવશે. વાસ્તવમાં સેમસંગનો પ્લાન આઈફોન પહેલાં ગેલેક્સી નોચ 7 લોન્ચ કરવાનો હતો જેનાથી ફેસ્ટિવ સિઝનનો લાભ મળી શકે. પણ સેમસંગના પ્લાન ફેલ થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે.
નામ જાહેર ના કરવાની શરતે સેમસંગના એક અધિકારીએ જણાવ્યું કે સેમસંગ પહેલા વેચેલા 2.5 મિલિયન ડિવાઈસને પાછા મંગાવવા માંગે છે. ત્યારબાદ કંપની ડિવાઈસને સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને યુએસમાં રિલોન્ચ કરશે.
સેમસંગ ઈન્ડિયા સપ્ટેમ્બરના અંતમાં ફોન લોન્ચ કરવાનું હતુ. હવે લાગી રહ્યું છે કે દિવાળી પહેલાં લોન્ચ કરશે. એક અન્ય અધિકારીનું કહેવું છે કે લોન્ચ દિવાળી પછી પણ થઈ શકે છે. જો સેમસંગની રિલોન્ચની યોજના સમસસર પુરી નહી થાય તો તેની અસર ભારતના લોન્ચ પર પડી શકે છે. યૂએસ અને કોરિયામાં 60 ટકા ફોન પાછા આવી ગયા છે.
ઉલ્લેખનીય છે કે 7મી ઓક્ટોબરથી એપલ પોતાના iPhone 7નું વેચાણ ચાલુ કરશે. નોટ 7 ભારતમાં લોન્ચ થાય તે પહેલાં એક કન્ઝ્યુમર ટ્રસ્ટ કેમ્પેઈન પણ કરવામાં આવશે. વાસ્તવમાં સેમસંગનો પ્લાન આઈફોન પહેલાં ગેલેક્સી નોચ 7 લોન્ચ કરવાનો હતો જેનાથી ફેસ્ટિવ સિઝનનો લાભ મળી શકે. પણ સેમસંગના પ્લાન ફેલ થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે.