એપશહેર

સ્માર્ટફોનમાં લાગી આગ, તમારા ફોનમાં આવું ન થાય તે માટે આટલું ધ્યાન રાખો

Yogesh Gajjar | I am Gujarat 12 Jan 2020, 12:28 pm
નવી દિલ્હીઃ સ્માર્ટફોન આજે આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયા છે. ત્યારે બીજી તરફ યુઝર્સ પર તેના કારણે ખતરો પણ વધી ગયો છે. પાછલા કેટલાક સમયમાં એવી ઘણી ખબરો સામે આવી છે જેમાં ફોનમાં આગ લાગવા અથવા બ્લાસ્ટ થવાથી યુઝર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોય. ગિજચાઈનાની રિપોર્ટ મુજબ હાલમાં જ વધુ એક આ પ્રકારનો મામલો સામે આવ્યો છે, જેમાં એક સ્માર્ટફોનમાં આગ લાગી હતી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:52 વર્ષના સીમા અગ્રવાલે જણાવ્યું કે, તેના સ્માર્ટફોનમાં કોઈપણ કારણ વિના આગ લાગી ગઈ. સીમાએ કહ્યું કે તેમણે આ ફોન ડિસેમ્બર 2016માં ખરીદ્યો હતો અને અત્યાર સુધીમાં તેમાં કોઈ ખરાબી નહોતી આવી. જોકે ડિસેમ્બર 2019માં એક દિવસે તેમનો આ સ્માર્ટફોન ખૂબ ગરમ થઈ ગયો. ફોનને ગરમ થતા જોઈને તેમણે તરત જ તેને બહાર કાઢીને મૂકી દીધો અને તેમાં થોડી જ વારમાં આગ લાગી ગઈ.સીમાનું કહેવું છે કે તેમણે હંમેશા ફોનને ચાર્જ કરવા માટે ઓરિજનલ ચાર્જરનો જ ઉપયોગ કર્યો છે. સીમા આ ઘટનાથી ખૂબ જ ડરી ગયા છે અને તેમનું કહેવું છે કે હવે તેઓ ક્યારેય સ્માર્ટફોનનો ઉપયોગ નહીં કરે.આ સેફ્ટી ટિપ્સનું રાખો ધ્યાનસ્માર્ટફોન આજે આપણી જરૂરિયાત બની ગયા છે અને તેનો ઉપયોગ બંધ કરવો સમજદારી ભર્યો નિર્ણય નહીં કહેવાય. સ્માર્ટફોનમાં આગ લાગવાની સમસ્યા સામાન્ય બની રહી છે. એવામાં નીચે મુજબ કેટલીક જરૂરી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
  • ફોનને આખી રાત ચાર્જમાં ન મૂકી રાખશો
  • ફોનને જ્વલનશીપ પદાર્થથી દૂર રાખો
  • કેટલાક પૈસા બચાવવાના ચક્કરમાં લોકલ બેટરીનો ઉપયોગ ન કરશો
  • ફોનને ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટર પર જ રિપેરીંગ માટે આપો.
  • ફોનને ઊંઘતા સમયે તકિયાની નીચે ન રાખશો.
આ પણ જુઓઃ ઊંઘતા પહેલા તમારું બાળક સ્માર્ટફોન વાપરતું હોય તો આટલું કરો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો