નવી દિલ્હીઃ પ્રીમિયમ સ્માર્ટફોન્સમાં આજકાલ વાયરલેસ ચાર્જિગનો ટ્રેન્ડ છે. જેનાથી સ્માર્ટફોન યૂઝર્સને ચાર્જિગમાં ખૂબ જ સરળતા રહેશે. હવે વાયરલેસ ચાર્જિંગની ટેકનોલોજીને અપગ્રેડ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. નવા અપગ્રેડમાં ફોનને કોઈ ડિવાઈસ સાથે કનેક્ટ કરવાની જરૂર રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે હાલમાં વાયરલેસ ચાર્જિંગમાં ફોનને ચાર્જિંગ પેડ સાથે કનેક્ટ કરવો પડે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો કેવી હશે ઓવર ધ એર ચાર્જિગ ટેક્નોલોજી હાલની વાયરલેસ ચાર્જિંગ ટેકનોલોજીની વાત કરીએ તો વાયરલેસ ચાર્જિંગ પેડ ઈંડક્શન કુકટોપની જેમ કામ કરે છે. જેમાં ઈંડક્શન કોઈલ એક ઈલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ ક્રિએટટ કરે છે અને ફોનની પેનલ પર રિસીવર તેની એનર્જીને ટ્રાંસફર કરે છે. ચાર્જિંગ પેડની પણ જરૂર નહીં પડે ચાર્જિંગ પેડથી વાયરલેસ ચાર્જિંગમાં સરળતા રહે છે પરંતુ યૂઝર્સને પેડને સાથે લઈને ફરવું પડ છે. આ નવી ટેક્નોલોજીમાં ચાર્જિંગ પેડની જરૂર રહેશે નહીં. હવે કંપનીઓ એવા કેસ બનાવી રહ્યા છે કે જેનાથી સ્માર્ટફોન ચાર્જ કરી શકાય છે. ‘ઓવર ધ એર ચાર્જિંગ’ કેસ કેસ મેકર કંપની Spigen વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી વેન્ટર Ossia સાથે મળીને ઓવર ધ યર ચાર્જિંગ કેસ ડેવલપ કરી રહી છે. ત્યાર બાદ ફોનને ચાર્જ કરવા માટે ચાર્જિંગ પેડ, અડોપ્ટર કે પ્લગની જરૂર રહેશે નહીં. આ કેસ રેડિયો વેવ ટ્રાંસમિટ કરી ડિવાઈસ સુધી પહોંચાડી ડાયરેક્ટ કરેંટમાં કનવર્ટ થઈ કરે છે અને ફોનની બેટરી ચાર્જ થઈ જશે. 3 ફૂટના અંતરથી ચાર્જ થશે ફોન આ કેસને 3 ફૂટના અંતરથી સ્માર્ટફોન ચાર્જ કરી શકાશે. આ કેસ નાના પ્રમાણમાં પાવર ડિલિવર કરશે જેનાથી ફોન 30 થી 60 મિનિટમાં ચાર્જ થઈ જશે. આ ટેક્નોલોજી માત્ર તે ફોનમાં જ કામ કરશે જેમાં RF આધારિત રિસીવર હશે. વર્ષ 2020 સુધી આ ટેક્નોલોજી માર્કેટમાં આવી શકે છે.