એપશહેર

રજીસ્ટ્રેશન વિના ચારધામ યાત્રાએ જવાય? ત્યાં ફસાઈ પડેલા ગુજરાતીઓને એવો કડવો અનુભવ થયો કે...

CharDham Yatra: કોરોના પછી ચારધામ યાત્રા શરું થતાં જ યાત્રાળુઓનો ધસારો વધી રહ્યો છે. જેના કારણે રજીસ્ટ્રેશન વગર જ પહોંચી ગયેલા લોકોને આગળ જવા મંજૂરી ન મળતી હોવાથી અધવચ્ચે જ અટવાઈ ગયા છે. તો સ્થાનિક વેપારીઓ પણ ત્રણ ગણા ભાવ વસૂલીને ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે જેના કારણે અનેક ગુજરાતી યાત્રાળુઓને પણ કડવો અનુભવ થયો છે.

Edited byMitesh Purohit | Navbharat Times 16 May 2022, 3:37 pm
કોરોનાકાળ બાદ આ વર્ષે ગુજરાતી યાત્રાળુઓ ચારધામ યાત્રા (CharDham Yatra 2022)એ પહોંચી રહ્યા છે. જોકે આ વર્ષે ચારધામ યાત્રાએ યાત્રાળુઓનો ભારે ધસારો (CharDham Yatra Rush of Pilgrims) રહ્યો છે. જેના કારણે રજીસ્ટ્રેશન વિના યાત્રાળુઓને પ્રવેશ અપાતો નથી. આ કારણોસર રજીસ્ટ્રેશન વિનાના ગુજરાતીઓ સહિત અન્ય યાત્રાળુઓ અધવચ્ચે જ અટવાયા છે. કેદરાનનાથ જનારા યાત્રાળુઓને રજીસ્ટ્રેશન ન હોય તો ઋષિકેશથી અટકાવી દેવામાં આવી રહ્યા છે.
I am Gujarat Chardham
ચારધામ યાત્રામાં એક સાથે એટલા યાત્રાળુઓ પહોંચી ગયા કે રસ્તા પર કિલોમીટરો લાંબી વાહનોની લાઈનો લાગી.


કોરોનાએ વિદાય લેતા જ આ વર્ષે ચારધામ યાત્રાએ જનારા ગુજારાતી યાત્રાળુઓની સંખ્યા ઘણી મોટી છે. અત્યારે 15-20 હજાર ગુજરાતી યાત્રાળુઓ ચારધામ યાત્રાએ પહોંચ્યા છે. ટુર ઓપરેટર્સનું કહેવું છે કે વર્ષ 2019માં 6 મહિનામાં 9 લાખ યાત્રાળુઓએ ચારધામના દર્શન કર્યા હતા. આ વખતે એટલો બધો ધસારો રહ્યો છે કે છેલ્લા દસેક દિવસમાં જ બે લાખ યાત્રાળુઓ ચારધામની યાત્રાએ પહોંચ્યા છે. યાત્રાળુઓના ધસારાના કારણે કેદારનાથ તરફ જતા રસ્તા તરફ ટ્રાફિક ચક્કાજામ થયો છે.

કારોની તો જાણે લાંબી લાઈનો લાગી છે. એક કિમી જતા ત્રણેક કલાકનો સમય જાય છે એટલો ટ્રાફિક જામ છે. મોટી વયના યાત્રાળુઓની મુશ્કેલી વધુ વધી છે કેમ કે કલાકો સુધી કારમાં બેસી રહી શકાય તેમ નથી. એટલું જ નહીં કોઈ અચાનક બિમાર થાય તો એમ્બ્યુલન્સ વાન સુધ્ધા સ્થળ પર પહોંચી શકે નહીં તેવી સ્થિતિ છે. ભારે ધસારાના કારણે સ્થાનિકોએ પણ બેફામ લૂટ ચલાવી છે. કેમ કે ઘોડાના ભાવ અત્યાર સુધી જે રુ. 10 હજાર હતા તે વધીને રુ. 20 હજાર પહોંચી ગયા છે. જે હોટલના એક રુમનું ભાડુ રુ. 1250 હતુ તે વધીને રુ. 2500 સુધી પહોંચી ગયું છે.

તેમજ ઈનોવા જેવી મોટી કારનું 12 દિવસનું ભાડુ રુ. 70 હજાર જેવું થતું હતું તે વધીને હવે 90 હજાર સુધી પહોંચી ગયું છે. ટૂંકમાં કહીએ તો તકનો લાભ લઈને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. આ પરિસ્થિતી વચ્ચે પણ હજુ પણ લોકો ચારધામ યાત્રાએ જવા માગે છે. જેને લઈને ટૂર કંપનીઓ પાસે હજુ પણ ચારધામ યાત્રા માટે ધૂમ ઇન્ક્વાયરી આવી રહી છે. એટલું જ નહીં તા. 10 જૂન સુધી તો ચારધામ યાત્રાનું ફૂલ બુકિંગ છે. તો બીજી તરફ કેટલાક એવા છે જેમણે પોતાનું બુકિંગ હોવા છતાં ભારે ધસારાના પગલે ચારધામ યાત્રાએ જવાનું પણ માંડી વાળ્યું છે.

Read Next Story