કોરોના વાયરસના કારણે ભારતમાં લગભગ 3 મહિના જેટલો સમય ચાલેલા લોકડાઉન બાદ અનલોકમાં વિવિધ પ્રકારની છૂટછાટો આપવામાં આવી હતી. આ છૂટછાટમાં લોકો લાંબા સમયથી ઘરમાં બેસી રહ્યા હતા તેમાંથી કંઈક અલગ કરવા માટે ફરવા માટે નીકળ્યા પડ્યા હતા. આ જ રીતે ભારતના સૌથી જાણીતા ટુરિસ્ટ પ્લેસ હિમાચલમાં પણ પ્રવાસીઓ પહોંચી ગયા હતા. પરંતુ આ પછીની જે તસવીર સામે આવી તે લોકોને પીડા આપી રહી છે.
અનલોક સાથે નવી લાઈફ શરુ થઈ રહી છે. પ્રવાસીઓ દરિયા કિનારે કે પછી પહાડોની વચ્ચે જવાના પ્લાન બનાવી રહ્યા છે. તમે પણ આવો પ્લાન બનાવી રહ્યા હશો, ફરવા જાવ તેનો વાંધો નહીં પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે. હિમાચલ બોર્ડર ખુલતાની સાથે જ સ્થાનિકો સોશિયલ મીડિયા પર એવી તસવીર શેર કરી રહ્યા છે જોઈને શરમથી માથું ઝુકી જાય.
અહીં એક પોસ્ટ @Sidbakaria નામના ટ્વિટર યુઝરે શેર કરી છે. તેમણે ભારે મન સાથે લખ્યું છે કે, "પ્રવાસીઓ માટે હિમાચલ બોર્ડર ખુલ્યા પછી.. હવે અમારે શું કરવું જોઈએ?" આ ટ્વીટને હાજારોની સંખ્યામાં લાઈક અને રિટ્વીટ કરવામાં આવી રહી છે. ઘણાં લોકોએ આ પ્રકારની તસવીર શેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. લોકો પ્રવાસીઓને વિનંતી કરી રહ્યા છે કે પ્રકૃતિ કુદરતની દેન છે અને તેને સાચવવાની જવાબદારી આપણી છે માટે ક્યાંય ફરવા માટે જાવ ત્યારે તે જગ્યા પર ફરી નથી જવાનું તેવું વિચારીને ગંદકી ફેલાવવાનું કામ ના કરશો.
આ તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે, એક તરફ વન-ટાઈમ યુઝ પ્લેટ અને બાકી રહી ગયેલું ખાવાનું લોકો જેમનું તેમ છોડીને રવાના થઈ ગયા છે. જ્યારે બીજી તસવીરોમાં લોકો ખાવાનું ખાધા બાદ પ્લાસ્ટિકનો કચરો અને નકામી બોટલો જેમની જેમ મૂકીને રવાના થઈ ગયા છે. એક પછી એક પ્રવાસીઓના આ પ્રકારના વલણના કારણે લોકડાઉન દરમિયાન એકદમ રમણિય બનેલી જગ્યા પર ફરી કચરાનો ઢગલો થઈ રહ્યો છે.
અહીં ફેકવામાં આવેલા કચરાના કારણે પ્રકૃતિની સાથે અહીં રહેતા પશુ-પક્ષીઓને પણ નુકસાન થાય છે. કાચની બોટલો પહાડની નીચે પડવાથી પણ વન્યજીવોને નુકસાન થતું હોય છે. આવામાં કિસ્સામાં સોશિયલ મીડિયા દ્વારા લોકો પ્રવાસીઓને અપીલ કરી રહ્યા છે કે એવી ભૂલ ના કરશો કે જેનાથી પ્રકૃતિને નુકસાન થાય.
અનલોક સાથે નવી લાઈફ શરુ થઈ રહી છે. પ્રવાસીઓ દરિયા કિનારે કે પછી પહાડોની વચ્ચે જવાના પ્લાન બનાવી રહ્યા છે. તમે પણ આવો પ્લાન બનાવી રહ્યા હશો, ફરવા જાવ તેનો વાંધો નહીં પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે. હિમાચલ બોર્ડર ખુલતાની સાથે જ સ્થાનિકો સોશિયલ મીડિયા પર એવી તસવીર શેર કરી રહ્યા છે જોઈને શરમથી માથું ઝુકી જાય.
અહીં એક પોસ્ટ @Sidbakaria નામના ટ્વિટર યુઝરે શેર કરી છે. તેમણે ભારે મન સાથે લખ્યું છે કે, "પ્રવાસીઓ માટે હિમાચલ બોર્ડર ખુલ્યા પછી.. હવે અમારે શું કરવું જોઈએ?" આ ટ્વીટને હાજારોની સંખ્યામાં લાઈક અને રિટ્વીટ કરવામાં આવી રહી છે. ઘણાં લોકોએ આ પ્રકારની તસવીર શેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. લોકો પ્રવાસીઓને વિનંતી કરી રહ્યા છે કે પ્રકૃતિ કુદરતની દેન છે અને તેને સાચવવાની જવાબદારી આપણી છે માટે ક્યાંય ફરવા માટે જાવ ત્યારે તે જગ્યા પર ફરી નથી જવાનું તેવું વિચારીને ગંદકી ફેલાવવાનું કામ ના કરશો.
આ તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે, એક તરફ વન-ટાઈમ યુઝ પ્લેટ અને બાકી રહી ગયેલું ખાવાનું લોકો જેમનું તેમ છોડીને રવાના થઈ ગયા છે. જ્યારે બીજી તસવીરોમાં લોકો ખાવાનું ખાધા બાદ પ્લાસ્ટિકનો કચરો અને નકામી બોટલો જેમની જેમ મૂકીને રવાના થઈ ગયા છે. એક પછી એક પ્રવાસીઓના આ પ્રકારના વલણના કારણે લોકડાઉન દરમિયાન એકદમ રમણિય બનેલી જગ્યા પર ફરી કચરાનો ઢગલો થઈ રહ્યો છે.
અહીં ફેકવામાં આવેલા કચરાના કારણે પ્રકૃતિની સાથે અહીં રહેતા પશુ-પક્ષીઓને પણ નુકસાન થાય છે. કાચની બોટલો પહાડની નીચે પડવાથી પણ વન્યજીવોને નુકસાન થતું હોય છે. આવામાં કિસ્સામાં સોશિયલ મીડિયા દ્વારા લોકો પ્રવાસીઓને અપીલ કરી રહ્યા છે કે એવી ભૂલ ના કરશો કે જેનાથી પ્રકૃતિને નુકસાન થાય.