એપશહેર

કોરોના: જે માસ્ક નથી પહેરતા તેમની આંખો ખોલી દેશે આ વિડીયો

દેશમાંથી કોરોના વાયરસ હજુ ગયો નથી ત્યારે લોકોને માસ્ક પહેરવા પ્રત્યે જાગૃત કરવા એક ટ્વિટર યૂઝરે જોરદાર વિડીયો પોસ્ટ કર્યો છે.

I am Gujarat 22 Oct 2020, 4:45 pm
દેશમાં કોવિડ 19 દર્દીઓની કુલ સંખ્યા 77 લાખને પાર થઈ ગઈ છે, જેનો સીધો અર્થ છે કે, કોરોના વાયરસ હજુ પણ આપણી વચ્ચે જ છે. પીએમ મોદી પણ મંગળવારે પોતાના સંબધોનમાં કહી ચૂક્યા છે કે, બે ગજનું અંતર, સમય-સમય પર સાબુથી હાથ ધોવા અને માસ્કનું ધ્યાન રાખવું. યાદ રાખો, જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી બેદરકારી નહીં. પરંતુ, તેમ છતાં ઘણા લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં બેદરકારી રાખવા લાગ્યા છે. જો તમને લાગી રહ્યું છે કે, માસ્ક 'યૂઝલેસ' છે, તો આ વિડીયોને ચોક્કસ જોઈ લેજો.
I am Gujarat Mask


માસ્કને ઘણું નજીકથી જોવામાં આવ્યું
આ જોરદાર વિડીયોને ટ્વિટર યૂઝર @ArvinderSoinએ શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, 'હવે તમને સમજાયું? માસ્ક પહેરો!' અહેવાલ લખાયો ત્યાં સુધી વિડીયોને 2 લાખથી વધુ વ્યૂઝ અને 6 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી હતી.

આ એક વિઝ્યુઅલ આર્ટ છે!
ડોક્ટર અરવિંદે પોતાની આગામી ટ્વીટમાં જણાવ્યું કે, 'આ એક વિઝ્યુઅલ આર્ટ છે, જે શાનદાર એડિટિંગની સાથે મજબૂત સંદેશ આપે છે. હકીકતમાં વાયરસને જોવા માટે એક સાથે ઘણા પ્રકારના માઈક્રોસ્કોપની જરૂર પડે છે.' લોકોને તેમના દ્વારા શેર કરાયેલો વિડીયો ઘણો પસંદ આવી રહ્યો છે.

લોકોએ આપ્યા આવા રિએક્શન



વિડીયોમાં જોઈ શકાય છે કે, એક સર્જિકલ માસ્કને એટલું ઝૂમ કરીને બતાવાયું છે કે, તમે સમજી જશો કે એક માસ્ક 'કોરોના વાયરસ'ને કઈ રીતે રોકે છે.

ઉલ્લેખનીય છે કે,પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રજોગ સંદેશમાં કોરોના વાયરસ પત્યે બેદરકારી ન રાખવાની અપીલ કરી હતી. પીએમએ કહ્યું હતું કે, હજુ લોકડાઉન જ હટ્યું છે, વાયરસ નથી ગયો. તેમણે દેશવાસીઓને કોરોનાની ગંભીરતા સમજાવતા કબીરનો એક દોહો અને રામચરિતમાનસની ચોપાઈનું ઉદાહરણ પણ આપ્યું હતું.

પકી ખેતી દેખિકે, ગરબ કિયા કિસાન. અજહું ઝોલા બહુત હૈ, ઘર આવૈ તબ જાન.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કબીરના આ દોહાનો ઉલ્લેખ કરતા સમજાવ્યું કે, ઊગી ગયેલા પાકને જોતાં જ અતિ આત્મવિશ્વાસમાં આવી જાય છે કે, હવે તો કામ થઈ ગયું. પરંતુ, જ્યાં સુધી સફળતા પૂરી ન મળી જાય, બેદરકારી ન રાખવી જોઈએ. જ્યાં સુધી આ મહામારીની વેક્સીન ન આવી જાય, આપણે આ લડાઈને નબળી પડવા દેવાની નથી.

રિપુ રુજ પાવક પાપ પ્રભુ અહિ ગનિઅ ન છોટ કરિ.રામચરિતમાનસમાં ઘણી શિક્ષિત કરનારી વાતો છે. સાથે-સાથે ઘણા પ્રકારની ચેતવણીઓ પણ છે. કોરોના સંક્રમણના સંદર્ભમાં તેનો અર્થ સમજાવતા પીએમએ કહ્યું કે, આગ, રોગ, શત્રુ, બીમારીને નાની ન સમજવી જોઈએ. ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો